ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના વવાણીયામાં હનુમાનજી-બાબા નીમ કરૌલીના મંદિરનો કાલથી ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ


SHARE













મોરબી જિલ્લાના વવાણીયામાં હનુમાનજી-બાબા નીમ કરૌલીના મંદિરનો કાલથી ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મોરબીના વવાણીયા નજીક નવ નિર્માણ પામેલા ભગવાન હનુમાનના અવતાર ગણાતા બાબા નીમ કરૌલી અને હનુમાનજીના મંદિરનો તા ૨૮ થી ૩૦ ડિસેમ્બર ત્રણ દિવસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવશે,જેમાં દેશ વિદેશ થી ભક્તો ખાસ ઉપસ્થિત રહેશે મોરબીના વવાણીયામાં જ્યાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યાં બાબા નીમ કરૌલીએ તેમના જીવનના ૧૦ વર્ષ સુધી સાધના કરી અને સિદ્ધિ પ્રાપ્ત કરી છે

આ નવ નિર્મિત મંદિર ઉપરાંત ૨૦ રૂમની ધર્મશાળા પણ બનાવવામાં આવી છે. તા ૨૮ ડીસેમ્બરના રોજ સવારે હવન,તા ૨૯ ડીસેમ્બરના રોજ બોપોરે પ્રાણ પ્રતિષ્ઠા બાદ તા ૩૦ ડીસેમ્બરથી મંદિર ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવશે. એવું માનવામાં આવે છે કે બાબા નીમ કરૌલી ભગવાન હનુમાનના અવતાર હતા. કહેવાય છે કે, બાબા નીમ કરૌલીને ભગવાન હનુમાનની પૂજા કર્યા પછી ઘણી ચમત્કારિક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. અને લોકો તેમને હનુમાનજીનો અવતાર પણ માને છે. ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના હલ્દ્વની અલ્મોડા રોડ પર આવેલું નૈનીતાલનું કૈંચી ધામ મંદિર વિશ્ર્વ પ્રસિદ્ધ છે. મંદિરના સ્થાપક બાબા નીમ કરોલી મહારાજને ભગવાનનો અવતાર માનવામાં આવે છે. બાબાની મહિમા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ વખણાય છે. એપલના સંસ્થાપક સ્ટીવ જોબ્સ અને ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગ ઉપરાંત ભારત અને વિદેશની ઘણી મોટી હસ્તીઓ બાબાના ભક્તોમાં સામેલ છે.






Latest News