મોરબી જિલ્લા એસીબીની ટીમે પોલીસની ઓળખ આપીને વાહન ચાલકો પાસેથી પૈસા પડાવતા ત્રણને દબોચ્યા
વાંકાનેરમાં માવતરે રહેતી પરિણીતાને કરિયવર માટે પતિ સહિત સાત સાસરિયાનો ત્રાસ
SHARE
વાંકાનેરમાં માવતરે રહેતી પરિણીતાને કરિયવર માટે પતિ સહિત સાત સાસરિયાનો ત્રાસ
વાંકાનેરના વીસીપારમાં રેલ્વે સ્ટેશનની બાજુમા માવતરે રહેતી પરિણીતાએ તેના પતિ, સાસુ, સસરા, દિયર સહિત આઠ સામે ફરિયાદ નોંધવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના પતિને આરોપીઓએ ખોટી ચડામણી કરતા તેને ઢીકા પાટુનો મુંઢમાર મારતા હતા અને વધુ કરિયાવર લાવવા માટે કહેતા હતા જેથી મહિલાની ફરિયાદ લઈને જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન્ના સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી વિગત મુજબ હાલમાં વાંકાનેરના વીસીપારમાં રેલ્વે સ્ટેશનની બાજુમા માવતરે રહેતી રીમાબા કરણસિંહ મનુભા જાડેજા જાતે દરબાર (૩૨)એ હાલમાં કરણસિંહ મનુભા જાડેજા(પતિ), મનુભા હેમુભા જાડેજા(સસરા), જનકબા મનુભા હેમુભા જાડેજા(સાસુ), અર્જુનસિંહ મનુભા હેમુભા જાડેજા (દિયર), રહે- બધા મુંગણી આશાપુરા મંદિરની બાજુમાં જીલ્લો જામનગર તથા જયેન્દ્રસિહ મનુભા રાઠોડ (નણંદોયા), મિતલબા જયેન્દ્રસિહ રાઠોડ(નણંદ), પ્રકાશસિંહ મનુભા રાઠોડ(નંદોયા) અને શીતલબા પ્રકાશસિંહ મનુભા રાઠોડ (નણંદ) રહે.-બધા સુત્રાપાડા બસ સ્ટેન્ડની નજીક નવદુર્ગા મંદિરની બાજુની કોલોની જીલ્લો સોમનાથ વાળાની સામે મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીઓએ ફરીયાદીને નાની નાની બાબતે, ધરકામ બાબતે તેમજ પ્રેગ્નેન્સી દરમ્યાન સારવાર નહી કરાવી અને વધારે કરીયાવર લાવવા માટે દબાણ કરી અવાર-નવાર મેણા-ટોણા બોલી ભુંડા બોલી ગાળો આપી હતી અને ફરિયાદીના પતિને અવાર-નવાર ખોટી ચડામણી કરતા ઢીકા પાટુનો મુંઢમાર મારી દુ:ખ ત્રાસ આપી શારીરિક અને માનસિક દુ:ખ ત્રાસ આપ્યો હતો જેથી કરીને મહિલાએ નોંધાવેલ ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી. કલમ ૪૯૮(ક), ૩૨૩, ૫૦૪ અને ૧૧૪ મુજ્બ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે









