મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોના મોક્ષર્થે ભજન યોજાયા: હીરાબાને પણ શ્રદ્ધાંજલી અર્પણ કરી
SHARE
મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોના મોક્ષર્થે ભજન યોજાયા: હીરાબાને પણ શ્રદ્ધાંજલી અર્પણ કરી
૩૦ ઓકટોબર ૨૦૨૨ ના દિવસે ઝુલતો પુલ તૂટી પડ્યો હતો અને આ ઘટનામાં ૧૩૫ લોકોના મૃત્યુ નીપજયાં હતા જેથી અકાળે મોતનો કોળિયો બની ગયેલા ૧૩૫ લોકોના મોક્ષર્થે માનવ ધર્મના નાતે ઝુલતાપૂલ દુર્ઘટનાની બીજી માસિક પુણ્યતિથી ૩૦ ડિસેમ્બરના રોજ દિવંગત આત્માની શાંતિ અર્થે એવન્યુ પાર્કનું મારુતી સુંદરકાંડ મહિલા મંડળ અને વિશ્વકર્મા સોસાયટી ગોપી મંડળ દ્વારા ભજનનો કાર્યક્રમ વિશ્વકર્મા સોસાયટી મંદિરના મેદાનમાં નીલકંઠ સ્કૂલ સામેની શેરીમાં રાખવામા આવ્યો હતો અને તેની સાથે જ ગઇકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન થયું હોવાથી મહિલાઓએ બે મિનિટનું મૌન પાળીને હીરાબાને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી