મોરબી જિલ્લામાં બીએસસી સેમ-૫ ના પરિણામમાં નવયુગ કોલેજનો દબદબો
મોરબીના રામધન આશ્રમ દ્વારા વડાપ્રધાનના માતૃશ્રી હીરાબાના નિધન અન્વયે શોક વ્યક્ત કરાયો
SHARE
મોરબીના રામધન આશ્રમ દ્વારા વડાપ્રધાનના માતૃશ્રી હીરાબાના નિધન અન્વયે શોક વ્યક્ત કરાયો
મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસે આવેલા રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન દ્વારા તાજેતરમાં વડાપ્રધાનના માતૃશ્રી હીરાબાના નિધન અનવયે શ્રદ્ધાંજલિ આપીને શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો.તા.૩૦ મી ડિસેમ્બરના વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી હીરાબાનું સો વર્ષની જૈફ વયે અવસાન થતાં નરેન્દ્રભાઇ મોદીએ પોતાના ભાઈ પંકજભાઈના નિવાસ્થાને પહોંચીને માતાના અંતિમ દર્શન કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અંતિમવિધિમાં જોડાયા હતા અને માતાના પાર્થિવદેહને મુખાગ્ની આપી હતી ત્યારે આ દુઃખની ઘડીમાં રામધન આશ્રમ પરિવાર વતી મહંત ભાવેશ્વરીબેન દ્વારા હીરાબાને શ્રદ્ધાંજલિ આપી શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ મોરબીના મકનસર ગામ પાસે રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેનના શિષ્ય એવા રત્નેશ્વરીબેનની કથા ચાલુ હોય કથા દરમિયાન કથાકાર રત્નેશ્વરીબેને સ્વર્ગસ્થ હીરાબાના અવસાન અન્વયે કથા દરમિયાન શાબ્દિક શ્રદ્ધાંજલિ પાઠવી તેઓની આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી રામધૂન બોલાવી હતી









