ટંકારાના નેકનામ-પડધરી રોડ ઉપર પંચર પડેલા ટ્રકમાંથી દારૂની નાની-મોટી 14,352 બોટલ મળી, ટ્રક ચાલક સહિત બે સામે ગુનો નોંધાયો મોરબીમાં સાયન્સ કોલેજ પાછળ કારખાના પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી અને વાંકાનેર શહેરમાં અપમૃત્યુના જુદાજુદા ત્રણ બનાવમાં ત્રણ યુવાનના મોત હળવદમાં કૌટુંબિક બહેનનો પીછો કરતો હોવાની શંકા રાખીને યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો ટંકારાના નસીતપર ગામે ધરતી સ્પિનિંગ મિલમાં પગારના બાકી રૂપિયા માંગતા યુવાનને માર પડ્યો ! વાંકાનેરની અમરસર ફાટક પાસે જામનગરની બે મહિલા 4 બોટલ દારૂ-107 બીયરના ટીન સાથે ઝડપાઇ મોરબીમાં જુદા જુદા ત્રણ વાહનમાંથી દારૂની 9924 બોટલો મળી: દારૂ અને વાહન સહિત 57.43 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો, પાંચની શોધખોળ મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ દ્વારા વડાપ્રધાનના માતૃશ્રી હીરાબાના નિધન અન્વયે શોક વ્યક્ત કરાયો


SHARE











મોરબીના રામધન આશ્રમ દ્વારા વડાપ્રધાનના માતૃશ્રી હીરાબાના નિધન અન્વયે શોક વ્યક્ત કરાયો

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસે આવેલા રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન દ્વારા તાજેતરમાં વડાપ્રધાનના માતૃશ્રી હીરાબાના નિધન અનવયે શ્રદ્ધાંજલિ આપીને શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો.તા.૩૦ મી ડિસેમ્બરના વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી હીરાબાનું સો વર્ષની જૈફ વયે અવસાન થતાં નરેન્દ્રભાઇ મોદીએ પોતાના ભાઈ પંકજભાઈના નિવાસ્થાને પહોંચીને માતાના અંતિમ દર્શન કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અંતિમવિધિમાં જોડાયા હતા અને માતાના પાર્થિવદેહને મુખાગ્ની આપી હતી ત્યારે આ દુઃખની ઘડીમાં રામધન આશ્રમ પરિવાર વતી મહંત ભાવેશ્વરીબેન દ્વારા હીરાબાને શ્રદ્ધાંજલિ આપી શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ મોરબીના મકનસર ગામ પાસે રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેનના શિષ્ય એવા રત્નેશ્વરીબેનની કથા ચાલુ હોય કથા દરમિયાન કથાકાર રત્નેશ્વરીબેને સ્વર્ગસ્થ હીરાબાના અવસાન અન્વયે કથા દરમિયાન શાબ્દિક શ્રદ્ધાંજલિ પાઠવી તેઓની આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી રામધૂન બોલાવી હતી






Latest News