મોરબી નજીકના લજાઈ ગામે રામધૂન-રાસગરબા કરીને રૈયાણી પરીવાર ઉજવાશે ૩૧ ડિસેમ્બર
માળીયા નજીક રેલવેનું ફાટક આજે શનિવારે રાતે બંધ રાખવામા આવશે નહીં: અધિકારી
SHARE
માળીયા નજીક રેલવેનું ફાટક આજે શનિવારે રાતે બંધ રાખવામા આવશે નહીં: અધિકારી
માળીયા મિયાણા નજીક આવેલ ફાટક નંબર ૯૭ પાસે કામગીરી કરવાની હતી જેથી શનિવારે તા.૩૧ ડિસેમ્બરની રાતે ૧૦ વાગ્યાથી તા.૧ જાન્યુઆરી ૨૦૨૩ ના સવારે ૬ વાગ્યા સુધી આ ફટક્ને આઠ કલાક બંધ રાખવાની જાણ કરવામાં આવી હતી જો કે, અનિવાર્ય કારણોસર આ ફટક્ને આજે બંધ રાખવામા આવશે નહીં તેવું રેલવેના અધિકારીએ જણાવ્યુ છે
માળીયા મિયાણા રેલવેના અધિકારી જણાવ્યુ છે કે, તા ૩૧ ના રોજ રાતે ૧૦ થી તા ૧ ના રોજ સવારે ૬ વાગ્યા સુધી ફાટક નંબર ૯૭ પાસે રેલવે ડબલ ટ્રેકની કામગીરી કરવાની હતી જેથી કરીને માળીયા -જામનગર હાઇવે રસ્તો બંધ રહેવાનો હતો અને આઠ કલાક સુધી ફાટક બંધ હોવાથી માળીયા થઈને જામનગર તરફ જતાં અને આવતા વાહન ચાલકોને ડાયવાર્ટ કરવા માટેની તંત્રને પણ જાણ કરવામાં આવી હતી જો કે, અનિવાર્ય કારણોસર આજે શનિવારે રાતે તે કામગીરી કરવાની નથી જેથી કરીને આજે શનિવારે ફાટકને બંધ કરવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં જ્યારે પણ કામગીરી માટે રેલ્વે વિભાગ દ્વારા ફાટક બંધ કરવાની હશે તેની અગાઉથી જ જાહેર જનતાને જાણ કરવામાં આવશે તેવું રેલવેના અધિકારીએ જણાવ્યુ છે









