માળિયા મિયાણા માટે મોટી ખુશખબર: ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ને માળિયા સ્ટેશન પર સ્ટોપેજની સત્તાવાર મંજૂરી મોરબીના લાલપર ગામ પાસે કારખાનામાં કુડીમાં નાહવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત મોરબીમાં નજીવી વાતમાં યુવાનને જાહેરમાં પટ્ટા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીના રંગપર ગામે મહિલાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ, દિયર અને નણંદ સામે ગુનો નોંધાયો મોરબી નજીક મોબાઇલ ટાવરમાંથી કાર્ડ, કેબલ વાયર, જમ્પર સહિત 83,000 થી વધુ ની કિંમતના મુદ્દામાલની ચોરી હળવદના રાણેકપર ગામે મંદિરમાં જાળી અને એંગલ લગાવવાનું કામ કરતા વૃદ્ધ સહિત કુલ પાંચ વ્યક્તિઓને 2 મહિલા સહિત કુલ 12 વ્યક્તિઓએ ધોકા, પાઇપ અને ધારીયા વડે માર માર્યો સરકારે ખાનગી કંપનીના વીજ પોલના વળતર માટે જાહેર કરેલ નવી નીતિનો અમને કોઈ પત્ર મળ્યો નથી, અમારું આંદોલન ચાલુ છે: મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં નેહુલ અમૃતિયાએ કરી પત્રકાર પરિષદ મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ
Breaking news
Morbi Today

માળીયા નજીક રેલવેનું ફાટક આજે શનિવારે રાતે બંધ રાખવામા આવશે નહીં: અધિકારી


SHARE









માળીયા નજીક રેલવેનું ફાટક આજે શનિવારે રાતે બંધ રાખવામા આવશે નહીં: અધિકારી

માળીયા મિયાણા નજીક આવેલ ફાટક નંબર ૯૭ પાસે કામગીરી કરવાની હતી જેથી શનિવારે તા.૩૧  ડિસેમ્બરની રાતે ૧૦ વાગ્યાથી તા.૧ જાન્યુઆરી ૨૦૨૩ ના સવારે ૬ વાગ્યા સુધી આ ફટક્ને આઠ કલાક બંધ રાખવાની જાણ કરવામાં આવી હતી જો કે, અનિવાર્ય કારણોસર આ ફટક્ને આજે બંધ રાખવામા આવશે નહીં તેવું રેલવેના અધિકારીએ જણાવ્યુ છે

માળીયા મિયાણા રેલવેના અધિકારી જણાવ્યુ છે કે, તા ૩૧ ના રોજ રાતે ૧૦ થી તા ૧ ના રોજ સવારે ૬ વાગ્યા સુધી ફાટક નંબર ૯૭ પાસે રેલવે ડબલ ટ્રેકની કામગીરી કરવાની હતી જેથી કરીને માળીયા -જામનગર હાઇવે રસ્તો બંધ રહેવાનો હતો અને આઠ કલાક સુધી ફાટક બંધ હોવાથી માળીયા થઈને જામનગર તરફ જતાં અને આવતા વાહન ચાલકોને ડાયવાર્ટ કરવા માટેની તંત્રને પણ જાણ કરવામાં આવી હતી જો કે, અનિવાર્ય કારણોસર આજે શનિવારે રાતે તે કામગીરી કરવાની નથી જેથી કરીને આજે શનિવારે ફાટકને બંધ કરવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં જ્યારે પણ કામગીરી માટે રેલ્વે વિભાગ દ્વારા ફાટક બંધ કરવાની હશે તેની અગાઉથી જ જાહેર જનતાને જાણ કરવામાં આવશે તેવું રેલવેના અધિકારીએ જણાવ્યુ છે






Latest News