મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

માળીયા નજીક રેલવેનું ફાટક આજે શનિવારે રાતે બંધ રાખવામા આવશે નહીં: અધિકારી


SHARE







માળીયા નજીક રેલવેનું ફાટક આજે શનિવારે રાતે બંધ રાખવામા આવશે નહીં: અધિકારી

માળીયા મિયાણા નજીક આવેલ ફાટક નંબર ૯૭ પાસે કામગીરી કરવાની હતી જેથી શનિવારે તા.૩૧  ડિસેમ્બરની રાતે ૧૦ વાગ્યાથી તા.૧ જાન્યુઆરી ૨૦૨૩ ના સવારે ૬ વાગ્યા સુધી આ ફટક્ને આઠ કલાક બંધ રાખવાની જાણ કરવામાં આવી હતી જો કે, અનિવાર્ય કારણોસર આ ફટક્ને આજે બંધ રાખવામા આવશે નહીં તેવું રેલવેના અધિકારીએ જણાવ્યુ છે

માળીયા મિયાણા રેલવેના અધિકારી જણાવ્યુ છે કે, તા ૩૧ ના રોજ રાતે ૧૦ થી તા ૧ ના રોજ સવારે ૬ વાગ્યા સુધી ફાટક નંબર ૯૭ પાસે રેલવે ડબલ ટ્રેકની કામગીરી કરવાની હતી જેથી કરીને માળીયા -જામનગર હાઇવે રસ્તો બંધ રહેવાનો હતો અને આઠ કલાક સુધી ફાટક બંધ હોવાથી માળીયા થઈને જામનગર તરફ જતાં અને આવતા વાહન ચાલકોને ડાયવાર્ટ કરવા માટેની તંત્રને પણ જાણ કરવામાં આવી હતી જો કે, અનિવાર્ય કારણોસર આજે શનિવારે રાતે તે કામગીરી કરવાની નથી જેથી કરીને આજે શનિવારે ફાટકને બંધ કરવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં જ્યારે પણ કામગીરી માટે રેલ્વે વિભાગ દ્વારા ફાટક બંધ કરવાની હશે તેની અગાઉથી જ જાહેર જનતાને જાણ કરવામાં આવશે તેવું રેલવેના અધિકારીએ જણાવ્યુ છે




Latest News