મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા અતિંમ પગલુ ભર્યુ-મોત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત
Breaking news
Morbi Today

મોરબીના પીપળીયા ગામે અગાઉ થયેલ ઝઘડાનો રોષ રાખી મહિલા સાથે શેરીમાં ઝઘડો, બે સામે ગુનો નોંધાયો : મારામારીના બનાવમાં એકની ધરપકડ 


SHARE











મોરબીના પીપળીયા ગામે અગાઉ થયેલ ઝઘડાનો રોષ રાખી મહિલા સાથે શેરીમાં ઝઘડો, બે સામે ગુનો નોંધાયો : મારામારીના બનાવમાં એકની ધરપકડ 

મોરબી તાલુકા પોલીસ મથકની હદમાં આવેલા પીપળીયા ગામે રાજીવનગર વિસ્તારમાં બાજુ બાજુમાં રહેતા કુટુંબી કાકા-ભત્રીજા વચ્ચે ઘર પાસે આવેલ કોમન પ્લોટમાં વંડો બનાવવા બાબતે અને ત્યાં બંધ પડેલ ઘંટીની દુકાન તોડવા બાબતે માથાકૂટ થઈ હતી અને તે બાબતે સામસામે ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ એક પક્ષના મહિલાને સામેના પક્ષના બે લોકો દ્વારા ઝઘડો કરી શેરીમાં માથાકૂટ કરવામાં આવી હતી.

જે અંગે પીપળીયા ગામે રાજીવનગરમાં રહેતા જાગૃતિબા ઓમદેવસિંહ મહિપતસિંહ જાડેજા દરબાર (ઉમર ૩૦) નામની મહિલાએ વનરાજસિંહ તેમજ દશરથસિંહ નરવિરસિંહ જાડેજા એમ બે સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેમના પતિ અને દિયરને સામાવાળાઓ સાથે ઝઘડો થયેલો અને જે અંગે સામ સામે પોલીસ ફરિયાદ નોંધાયેલ હોય તે વાતનો રોષ રાખીને શેરીમાં સામેવાળા બંને દ્વારા મોટા અવાજે બોલીને ઝઘડો કરવામાં આવ્યો હતો આ અંગે ગુનો નોંધાતા હાલમાં તાલુકા એએસઆઈ આઈ.એમ.અજમેરી દ્વારા વનરાજસિંહ અને દશરથસિંહ સામે ફરિયાદ નોંધીને આગળની તપાસ કરવામાં આવી છે.જ્યારે અગાઉ નોંધાયેલી સામસામી ફરિયાદમાંથી અગાઉ બે લોકોની ધરપકડ થયા બાદ હાલમાં એએસઆઈ આઈ.એમ.અજમેરી દ્વારા મારામારીમાં ઇજાગ્રસ્ત થયેલા અને રાજકોટ ખસેડાયેલા ગોવિંદસિંહ નરવિરસિંહ જાડેજા (ઉમર ૫૦) રહે.રાજીવનગર પીપળીયા તા.જી.મોરબીની મારામારીના બનાવમાં ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના જાંબુડીયા ગામે દશામાઁના મંદિરની પાસે રહેતો સાવન દિનેશભાઈ દાદરેસા નામનો ૨૧ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે જાંબુડીયાથી પરત ઘર તરફ જતા સમયે રસ્તામાં હાઇવે ઉપર એસ્સાર પંપની સામે બોસ સેનેટરી નજીક તેના બાઇકને આઇસર ટ્રકના ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત થયેલા સાવન દિનેશભાઈને શહેરના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો જેથી હાલમાં તાલુકા પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા નોંધ કરી આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે. જ્યારે મોરબીના ઓમ શક્તિ સિરામિકના લેબર ક્વાટરમાં રહીને મજૂરીકામ કરતાં અને મૂળ મધ્યપ્રદેશના દીપક મધુભાઈ ભીલ જાતે આદિવાસી નામના ૨૪ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આ અંગે નોંધ કરીને મારામારીના કારણે અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે






Latest News