મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા અતિંમ પગલુ ભર્યુ-મોત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળનો ૧૩ મો સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળનો ૧૩ મો સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળનો ૧૩ મો સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો અને ત્યારે કેજી થી લઈને ધોરણ ૧૨ સુધીના બાળકો માટે જુદી જુદી રમત ગમતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૨૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને જુદી જુદી સ્પર્ધાઓમાં વિજેતા બનેલા પ્રથમ ત્રણ વિજેતા બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને સમાજમાંથી કુલ મળીને ૧૧ જેટલા દાતાઓ તરફથી આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો આ તકે મોરબીમાં કપરા સમયે પણ લોકોને સચોટ માહિતી પહોચડતા પત્રકારોનું મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી, આહીર સમાજના આગેવાન ચંદુભાઈ હુંબલ, જીવણભાઈ ડાંગર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમમાં સંસ્થાના મંત્રી મયુરભાઈ ગજીયાએ આવેલા તમામ મહેમાનો સહિતના લોકોનું સ્વાગત કર્યું હતું અને કાર્યક્રમના અંતે વિજયભાઈ કાનગઢ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજેશભાઈ મંઢ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ તકે આહિર કર્મચારી મંડળ પરિવારના ૫૦૦ થી વધુ લોકો આવ્યા હતા આ સ્નેહમિલનના કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના કારોબારી સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News