મોરબીના બાયપાસ રોડે આવેલ ઓમ શાંતિ રિસર્ચ સેન્ટર દ્વારા ટેક ફેસ્ટ-૨૨ સંપન્ન
મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળનો ૧૩ મો સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળનો ૧૩ મો સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળનો ૧૩ મો સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો અને ત્યારે કેજી થી લઈને ધોરણ ૧૨ સુધીના બાળકો માટે જુદી જુદી રમત ગમતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૨૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને જુદી જુદી સ્પર્ધાઓમાં વિજેતા બનેલા પ્રથમ ત્રણ વિજેતા બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને સમાજમાંથી કુલ મળીને ૧૧ જેટલા દાતાઓ તરફથી આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો આ તકે મોરબીમાં કપરા સમયે પણ લોકોને સચોટ માહિતી પહોચડતા પત્રકારોનું મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી, આહીર સમાજના આગેવાન ચંદુભાઈ હુંબલ, જીવણભાઈ ડાંગર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમમાં સંસ્થાના મંત્રી મયુરભાઈ ગજીયાએ આવેલા તમામ મહેમાનો સહિતના લોકોનું સ્વાગત કર્યું હતું અને કાર્યક્રમના અંતે વિજયભાઈ કાનગઢ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજેશભાઈ મંઢ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ તકે આહિર કર્મચારી મંડળ પરિવારના ૫૦૦ થી વધુ લોકો આવ્યા હતા આ સ્નેહમિલનના કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના કારોબારી સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી









