મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ ! મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 
Breaking news
Morbi Today

વાંકાનેરની અમરસર ફાટકથી કાર ચાલકે મોપેડને હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધનું મોત


SHARE









વાંકાનેરની અમરસર ફાટકથી કાર ચાલકે મોપેડને હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધનું મોત

વાંકાનેર પાસે આવેલ અમરસર ફાટકથી આગળના ભાગમાં મોપેડ લઈને જતા વૃદ્ધના વાહનને કાર ચાલકે પાછળથી હડફેટે લીધું હતું જેથી કરીને વૃદ્ધને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને હાલમાં મૃતક વૃદ્ધના દીકરાએ કાર ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના અમરસર ગામે રહેતા ફિરોજભાઈ ઉસ્માનભાઈ શેરસીયા જાતે મોમીન (ઉંમર ૩૪) એ હાલમાં કાર નં જીજે ૩ એચકે ૫૧૪૦ ના ચાલકની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે અકસ્માતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેના પિતા ઉસ્માનભાઈ આહમદભાઈ શેરસીયા (૬૬) પોતાનું મોપેડ નંબર જીજે ૩ એફઆર ૭૨૨૨ લઈને અમરસર ફાટકથી આગળના ભાગમાં પોતાની એક વાડીએથી બીજી વાડી તરફ જઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે બેફિકરાઈથી તેની કાર ચલાવીને પાછળથી મોપેડને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ઉસ્માનભાઈ શેરસિયાને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું હાલમાં મૃતક વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કારચાલકની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News