મોરબીમાં એક વર્ષમાં ૬૬૯ પીડીત મહિલાઓને 181 મહિલા હેલ્પલાઇન ટીમે મદદ પહોચાડી
મોરબીમાં વિહિપ દ્વારા કાલે શૌર્ય સંચાલનનું આયોજન કરાયું
SHARE
મોરબીમાં વિહિપ દ્વારા કાલે શૌર્ય સંચાલનનું આયોજન કરાયું
મોરબીમાં વિશ્વ હિંદુ પરિષદના મોરબી જિલ્લા, શહેર અને ગ્રામ્યના બજરંગદળના નેજા હેઠળ તા. ૩/૧/૨૦૨૩ અને મંગળવારના રોજ શૌર્ય સંચાલનનું આયોજન કરેલ છે અને સાંજે ૫:૩૦ કલાકે નરસંગ મહાદેવ મંદિરથી રવાપર રોડથી ચકીયા હનુમાનજી મંદિર પાસે થઈ શાક માર્કેટ થઈ નગર દરવાજા ચોકમાં પૂર્ણ કરવામાં આવશે.
આ કાર્યક્રમ બજરંગદળના નેજા હેઠળ થવા જઈ રહ્યો છે ત્યારે મોરબીમા રહેતા તમામ સનાતની ભાઈઓને જોડવા વિશ્વ હિંદુ પરિષદ આહવાન કરે જ છે પણ એની સાથે જે ભાઈઓએ ત્રિશુલ દીક્ષા લીધી છે એ લોકોએ ફરજિયાત હાજર રહેવાનું છે અને કાર્યક્રમને દીપાવવાનો છે અને આ શૌર્ય સંચાલનમાં ગણવેશ સાથે રહેશે અને બજરંગદળના ત્રિશુલદીક્ષા લીધેલા કાર્યકર્તાઓએ બજરંગદળનો બેલટ અને ત્રિશુલ ફરજિયાત પહેરીને આવવુ રહેશે જે કાર્યકર્તા બંધુ પાસે બજરંગ દળનુ ટિ શર્ટ નથી તેમને સફેદ શર્ટ કે ટિ શર્ટ પહેરવું છે.









