મોરબીના સનાળા રોડે સ્વામિનારાયણ મંદિર પાસેથી બાઈકની ચોરી
SHARE
મોરબીના સનાળા રોડે સ્વામિનારાયણ મંદિર પાસેથી બાઈકની ચોરી
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિરના ગેટ પાસે પાર્ક કરેલ બાઇકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના લાલપર ગામે રહેતા જીતેશભાઈ ઝવેરભાઈ સોખલીયા જાતે પટેલ (ઉંમર ૩૫) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના ગેટ પાસે તેઓએ પોતાનું બાઈક નં. જીજે ૩૬ એ ૭૧૦૧ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૨૫૦૦૦ રૂપિયાની કિંમતના બાઇકની ચોરી થઈ હોવાની જીતેશભાઈ પટેલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે









