મોરબી પત્રકાર એસો.ના હોદ્દેદારોનું રામધન આશ્રમના મહંતે કર્યું સન્માન
માળિયા (મી)ના મોટા દહીસરા ગામે નર્સરી નજીક યુવાનની તિક્ષણ હથિયારના ઘા ઝીકિને હત્યા
SHARE
માળિયા (મી)ના મોટા દહીસરા ગામે નર્સરી નજીક યુવાનની તિક્ષણ હથિયારના ઘા ઝીકિને હત્યા
મોરબી જિલ્લાના માળિયા મીયાણા તાલુકામાં આવેલા મોટા દહીસરા ગામે નર્સરી નજીક રામદેવપીરનું મંદિર આવેલ છે અને મંદિર પાસે યુવાનને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકિને તેની હત્યા કરવામાં આવી છે જેથી કરીને આ બનાવ અંગેની હાલમાં મોટા દહીસરા ગામના સરપંચ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે જવા માટે રવાના થયેલ છે જોકે, યુવાનની હત્યા કોના દ્વારા કરવામાં આવી અને શા માટે કરવામાં આવી છે? તે બાબતે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકામાં આવતા મોટા દહીસરા ગામે રહેતા વિનોદભાઈ મૂળુભાઈ ચાવડા જાતે આહિર (૪૭) ની તિક્ષણ હથિયારના ઘા ઝીકિને હત્યા કરવામાં આવી છે અને આ આ બનાવની મોટા દહીસરા ગામના સરપંચ દ્વારા માળિયા તાલુકા પોલીસ અને જિલ્લા કંટ્રોલરૂમમાં જાણ કરવામાં આવી હતી જેથી કરીને હાલમાં માળીયા મિયાણા તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે જવા માટે રવાના થયેલ છે દરમ્યાનમાં વધુમાં જાણવા મળતી વિગત મુજબ મોટા દહીસરા ગામે રહેતા વિનોદભાઈ મૂળૂભાઈ ચાવડા મોટા દહીસરા ગામે આવેલ નર્સરી નજીક રામદેવપીરના મંદિર પાસે હતા ત્યારે ત્યાં તેને તીક્ષણ હથિયારના ઘા ઝીકિને તેની હત્યા કરવામાં આવેલ છે જોકે, હત્યા કોના દ્વારા કરવામાં આવી અને શા માટે કરવામાં આવી ? તે બાબતની હજુ સુધી કોઈ માહિતી સામે આવેલ નથી અને મૃતક વિનોદભાઈ ખેતી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને તેને એક સંતાન હોવાનું સામે આવ્યું છે જોકે માળીયા મિયાણા તાલુકા પોલીસે હત્યાના આ બનાવની ગંભીરતાને સમજીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરીને મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે