વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

માળિયા (મી)ના મોટા દહીસરા ગામે નર્સરી નજીક યુવાનની તિક્ષણ હથિયારના ઘા ઝીકિને હત્યા


SHARE











માળિયા (મી)ના મોટા દહીસરા ગામે નર્સરી નજીક યુવાનની તિક્ષણ હથિયારના ઘા ઝીકિને હત્યા

મોરબી જિલ્લાના માળિયા મીયાણા તાલુકામાં આવેલા મોટા દહીસરા ગામે નર્સરી નજીક રામદેવપીરનું મંદિર આવેલ છે અને મંદિર પાસે યુવાનને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકિને તેની હત્યા કરવામાં આવી છે જેથી કરીને આ બનાવ અંગેની હાલમાં મોટા દહીસરા ગામના સરપંચ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે જવા માટે રવાના થયેલ છે જોકે, યુવાનની હત્યા કોના દ્વારા કરવામાં આવી અને શા માટે કરવામાં આવી છે? તે બાબતે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકામાં આવતા મોટા દહીસરા ગામે રહેતા વિનોદભાઈ મૂળુભાઈ ચાવડા જાતે આહિર (૪૭) ની તિક્ષણ હથિયારના ઘા ઝીકિને હત્યા કરવામાં આવી છે અને આ આ બનાવની મોટા દહીસરા ગામના સરપંચ દ્વારા માળિયા તાલુકા પોલીસ અને જિલ્લા કંટ્રોલરૂમમાં જાણ કરવામાં આવી હતી જેથી કરીને હાલમાં માળીયા મિયાણા તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે જવા માટે રવાના થયેલ છે દરમ્યાનમાં વધુમાં જાણવા મળતી વિગત મુજબ મોટા દહીસરા ગામે રહેતા વિનોદભાઈ મૂળૂભાઈ ચાવડા મોટા દહીસરા ગામે આવેલ નર્સરી નજીક રામદેવપીરના મંદિર પાસે હતા ત્યારે ત્યાં તેને તીક્ષણ હથિયારના ઘા ઝીકિને તેની હત્યા કરવામાં આવેલ છે જોકે, હત્યા કોના દ્વારા કરવામાં આવી અને શા માટે કરવામાં આવી ? તે બાબતની હજુ સુધી કોઈ માહિતી સામે આવેલ નથી અને મૃતક વિનોદભાઈ ખેતી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને તેને એક સંતાન હોવાનું સામે આવ્યું છે જોકે માળીયા મિયાણા તાલુકા પોલીસે હત્યાના આ બનાવની ગંભીરતાને સમજીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરીને મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News