મોરબી પત્રકાર એસો.ના હોદ્દેદારોનું રામધન આશ્રમના મહંતે કર્યું સન્માન
SHARE
મોરબી પત્રકાર એસો.ના હોદ્દેદારોનું રામધન આશ્રમના મહંતે કર્યું સન્માન
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી દ્વારા મોરબી પત્રકાર એસોસિએશનના નવા હોદ્દેદારોના સન્માન કરવામાં આવ્યા હતા ત્યારે મોરબી પત્રકાર એસોસિએશનના પ્રમુખ હિમાંશુભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ હરનીશભાઈ જોશી અને મંત્રી મહેન્દ્રસિંહ જાડેજાનું સન્માન કર્યું હતું તેની સાથો સાથ મોરબીના વરિષ્ઠ પત્રકાર પ્રવીણભાઈ વ્યાસ, જીગ્નેશભાઈ ભટ્ટ, સુરેશભાઈ ગોસ્વામી, સન્ની વ્યાસ, અલ્પેશ ગોસ્વામી, સંદીપ વ્યાસ તેમજ રજાક બુખારી સહિતના પત્રકારોનું મહંત ભાવેશ્વરી માતાજી દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને તમામ પત્રકારોને સતત સમાજ સેવા કરવા માટેની પ્રેરણા મળતી રહે તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી તેવું મંદિરના મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે