મોરબી : ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આયોજિત નિ:શુલ્ક યોગ સ્પર્ધા યોજાશે
મોરબી જીલ્લામાં તિરંગા-દેવી-દેવતાઓનાં ફોટા વાળી પતંગો ઉપર પ્રતિબંધની માંગ
SHARE
મોરબી જીલ્લામાં તિરંગા-દેવી-દેવતાઓનાં ફોટા વાળી પતંગો ઉપર પ્રતિબંધની માંગ
દર વર્ષે ઉત્તરાયણ પર પતંગ મહોત્સવને માણવા માટે લોકો રંગબેરંગી પતંગોની ખરીદી કરી આકાશમાં ઉડાડતા હોય છે. ત્યારે ઘણી બધી પતંગો કટ થવાથી આ પતંગો ગંદકી વાળી જગ્યાઓ પર તેમજ અન્ય ખુલ્લેઆમ નીચે પડેલી હોય છે. ગત વર્ષથી પતંગોની અંદર ભારત દેશનાં તિરંગા કલર વાળી પતંગો માર્કેટમાં મળે છે. જેમાં અશોક ચક્રનો પણ સમાવેશ કરવામાં આવે છે. જેથી એવી પતંગે ખરેખર આપણા દેશનાં તિરંગાનુ સ્વરૂપ લઈ લીધેલ કહેવાય.
ગત વર્ષે ક્રાંતિકારી સેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને સમજદાર અધિકારીઓ તેમજ દુકાનદારોએ ઘણો સહયોગ આપેલ, પરંતુ ખરેખર આવી પતંગોનું નિર્માણ ન થાયએ ખૂબ જરૂરી છે. ગત વર્ષે આ સંસ્થા દ્વારા દેશનાં રાષ્ટ્રધ્વજ તેમજ હિન્દુ દેવી-દેવતાઓનાં અપમાન ન થાય તે માટે આવી પતંગો બનાવવા પર સરકાર દ્વારા સંપૂર્ણ પ્રતિબંધ લાદવો જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી અને રાષ્ટ્રહિત માટે તિરંગા પતંગ તેમજ હિન્દુ દેવી-દેવતાઓનાં ફોટાવાળી પતંગ પર પ્રતિબંધ મૂકો તેના માટે મોરબી જિલ્લામાં જાહેરનામું બહાર પાડવાની માંગ કરવામાં આવી છે