મોરબી જીલ્લામાં તિરંગા-દેવી-દેવતાઓનાં ફોટા વાળી પતંગો ઉપર પ્રતિબંધની માંગ
મોરબીના ખાખરાળા ગામે ૭ જાન્યુઆરીએ ભવ્ય સંતવાણી યોજાશે
SHARE
મોરબીના ખાખરાળા ગામે ૭ જાન્યુઆરીએ ભવ્ય સંતવાણી યોજાશે
મોરબી તાલુકાના ખાખરાળા ગામે આગામી તા. ૭ જાન્યુઆરીને શનિવારના રોજ સ્વ. ધનજીભાઈ અમરશીભાઈ વડાવિયાના સ્મરણાર્થે ભવ્ય સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અને ખાખરાળા ગામે ૭ જાન્યુઆરીએ રાત્ર ૯ કલાકે સ્વ. ધનજીભાઈ અમરશીભાઈ વડાવિયાના સ્મરણાર્થે યોજાનાર આ ભવ્ય સંતવાણી કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ લોક ગાયક બિરજુભાઈ બારોટ અને સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા ઉપસ્થિત રહીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે અને હસાવશે. તો આ સંતવાણીમાં ઉપસ્થિત રહેવા કૃભકોના ડિરેક્ટર મનગભાઈ ધનજીભાઈ વડાવિયાએ સૌને આમંત્રણ પાઠવ્યું છે.