મોરબીમાં રૂપિયા પાંચ લાખના ચેક રીર્ટન કેસમાં આરોપીને નિદોર્ષ છોડતી મોરબી કોર્ટ
SHARE
મોરબીમાં રૂપિયા પાંચ લાખના ચેક રીર્ટન કેસમાં આરોપીને નિદોર્ષ છોડતી મોરબી કોર્ટ
જેતે સમયે ફરીયાદી હસમુખભાઈ કાનજીભાઈ મીયાત્રાએ એવી ફરીયાદ કરી હતી કે આ કામના સામાવાળા જસમતભાઈ છગનભાઈ સાણંદીયા રહે. બીલીયા વાળાને ધંધામાં રકમની જરૂરત હોય હસમુખભાઈએ રૂપિયા પાંચ લાખ પુરા હાથ ઉછીના આપેલ હતા તે રકમ પરત કરવા માટે આરોપી જસમતભાઈએ પોતાના ખાતાનો ચેક રૂપિયા પાંચ લાખનો ફરીયાદીને આપેલ હતો.પરંતુ તે ચેક રીટર્ન થયેલ અને ફરીયાદી હસમુખભાઇ દ્રારા જસમતભાઈને ડીમાન્ડ નોટીશ આપવામાં આવેલ છતા જસમતભાઈ દ્વારા હસમુખભાઈને રૂપિયા પાંચ લાખ પરત ન આપતા અંતે ફરીયાદી હસમુખભાઈ દ્વારા મોરબી કોર્ટમાં જસમતભાઇ વિરૂધ્ધ કેશ કરેલ ત્યારબાદ જસમતભાઈએ તેમના વકીલ મારફતે કોર્ટમાં હાજર થયેલ.જે ફોજદારી કેશ નામદાર કોર્ટમાં ચાલી જતા બંન્ને પક્ષોની દલીલો સાંભળી આરોપી જસમતભાઈને હાલના ચેક રીર્ટન કેસમાં મોરબી કોર્ટે નિદોર્ષ ઠરાવી છોડી મુકવા હુકમ કરવામાં આવેલ છે.આ ચેક ફીર્ટન કેસમાં આરોપી જસમતભાઈ તરફે મોરબીના વકીલ મયુર પી.પુજારા રોકાયલ હતા.