મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં ‘સહકાર પ્રતિજ્ઞા દિવસ’ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીના એલીટ એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યુટમાં ત્રિ-દિવસીય એન્યુઅલ ફંક્શન યોજાયુ


SHARE









મોરબીના એલીટ એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યુટમાં ત્રિ-દિવસીય એન્યુઅલ ફંક્શન યોજાયુ

આજથી ૨૧ વર્ષ પૂર્વે શિક્ષણ જગતમાં ‘એલીટ’ રૂપી બીજ રોપવામાં આવ્યું હતું. આ બીજનું ઘણા બધા વિદ્યાર્થીઓ અને વાલીઓના અતુટ વિશ્વાસ વડે એવું તો સિંચન થયું કે આજે આ બીજમાંથી પાંગરેલા જ્ઞાન ઉપવનની સુવાસ ચોમેર મહેકી રહી છે. દરેક જીવનમાં કંઈકને કંઈક શક્તિ રહેલી જ છે. આ દિવ્યશક્તિ ચેતના અને અસ્મિતાને રજૂ કરતું “એલીટ દર્પણ-૨૦૨૨” માં ભારતીય સંસ્કૃતિ અને લોહીના સંસ્કારને રજૂ કરતો પાંચમો વાર્ષિક સમારોહ સંપન્ન થયો છે

એલીટ એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યુટમાં ધો ૧ થી ૧૦ (GSEB & CBSE) ના વિદ્યાર્થીઓ માટે કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડિયા, અને ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ બીજા દિવસે ધો ૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતી ગિરિશભાઈ ભીમાણી, ગુરુગોવિંદરાય યુનિવર્સિટીના કુલપતી પ્રતાપસિંહ ચૌહાણ, સ્ટેટ મોનિટરીંગ સેલના ડીવાયએસપી કે.ટી. કામરીયા તથા મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસજાળીયા હાજર રહ્યા હતા અને છેલ્લા દિવસે સેકન્ડ હોમ પ્રિ-સ્કૂલના ટોડલર, નર્સરી, K1 & K2 ના નાના-નાના ભુલકાઓ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સંસ્થાના પ્રમુખ શૈલેષ કલોલા, અંબારામભાઈ કવાડીયા, લલિતભાઈ કવાડીયા સહિતના હાજર રહ્યા હતા આ ત્રિ-દિવસીય ‘એલીટ દર્પણ-૨૦૨૨’ ને સર્વોતમ બનાવવા બદલ તમામ મેનેજમેન્ટ સ્ટાફ, ટીચીંગ સ્ટાફ, તમામ વાલીઓ અને તમામ વિદ્યાર્થીઓનો સંસ્થાના સ્થાપકએ જહેમત ઉઠાવી હતી જેથી કરીને સંસ્થાના સંચાલક શૈલેષ કલોલાએ તમામને અભિનંદન પાઠવ્યા હતા






Latest News