હળવદના રણમલપુર ગામે શાળામાં વ્યસન જાગૃતિ નિબંધ સ્પર્ધા યોજાઇ
મોરબીમાં રામાનંદાચાર્યજી મહારાજની જન્મ જયંતી ઉજવાશે
SHARE
મોરબીમાં રામાનંદાચાર્યજી મહારાજની જન્મ જયંતી ઉજવાશે
મોરબીમાં રામઘાટ પાસે આવેલ રામાનંદી ભવન ખાતે આગામી તા.૧૪ ના રોજ જગતગુરુ રામાનંદાચાર્યજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવશે તારે મહા આરતી અને મહા પ્રસાદ સહિયત્ન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે
મોરબી રામાનંદી સાધુ જ્ઞાતિ ટ્રસ્ટના પ્રમુખ અને મંત્રીએ માહિતી આપતા જણાવ્યું છે કે, મોરબી માળિયા વિસ્તારમાં રહેતા રામાનંદી સાધુ સમાજના લોકોને સાથે રાખીને આગામી તા.૧૪ ના રોજ જગતગુરુ રામાનંદાચાર્યજી મહારાજની ૭૨૩ મી જન્મ જયંતીની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીમાં રામઘાટ પાસે આવેલ રામાનંદ ભવન ખાતે રામાનંદાચાર્યજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવશે ત્યારે મંગળા આરતી સવારે ૭:૩૦ કલાકે, મહા આરતી બપોરે ૧૨:૦૦ કલાકે અને ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ સરકારની ગાઈડલાઈન મુજબ શોભાયાત્રા યોજવામાં આવશે તેવું પણ આગેવાનોએ જણાવ્યું છે