મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે ધારાસભ્યો-પત્રકાર એસો.ના સભ્યોનું કરાશે સન્માન


SHARE







મોરબીના પરશુરામ ધામ ખાતે ધારાસભ્યો-પત્રકાર એસો.ના સભ્યોનું કરાશે સન્માન

મોરબીના પરશુરામ ધામ ખાતે મોરબી જિલ્લાના ચારેય ધારાસભ્યો અને પત્રકાર એસો. મોરબીના હોદેદારો તેમજ તમામ સભ્યોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા ૮/૧ ના રોજ સાંજે આ કાર્યક્ર્મ યોજવાનો છે જેથી કરીને તેમાં બ્રહ્મ સમાજના તમામ બ્રહ્મબંધુ અને ભગીનીઓને હાજર રહેવા માટે ટ્રસ્ટીઓએ જણાવ્યુ છે

મોરબી પરશુરામ ધામના ટ્રસ્ટી ભુપતભાઈ પંડ્યાએ જણાવ્યુ છે કે, ભગવાન પરશુરામજીના આશીર્વાદથી મોરબી જિલ્લાની ચારેય બેઠક ઉપર ભાજપના ધારાસભ્યો ચૂંટાયેલ છે ત્યારે કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી અને પ્રકાશભાઈ વરમોરાના સન્માનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથોસાથ પત્રકાર એસો. મોરબીના હોદેદારો તેમજ તમામ સભ્યોનું સન્માન કરવામાં આવશે આ કાર્યક્રમ આગામી રવિવાર તા. ૮/૧ ના રોજ સાંજે પાંચ વાગ્યે પરશુરામ ધામ મોરબી મુકામે રાખેલ છે ત્યારે કાંતિભાઈ અમૃતિયાની સાકર તુલા પણ કરવામાં આવશે તેવું ટ્રસ્ટી ભુપતભાઈ પંડ્યાએ જણાવ્યુ છે






Latest News