ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે ધારાસભ્યો-પત્રકાર એસો.ના સભ્યોનું કરાશે સન્માન


SHARE











મોરબીના પરશુરામ ધામ ખાતે ધારાસભ્યો-પત્રકાર એસો.ના સભ્યોનું કરાશે સન્માન

મોરબીના પરશુરામ ધામ ખાતે મોરબી જિલ્લાના ચારેય ધારાસભ્યો અને પત્રકાર એસો. મોરબીના હોદેદારો તેમજ તમામ સભ્યોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા ૮/૧ ના રોજ સાંજે આ કાર્યક્ર્મ યોજવાનો છે જેથી કરીને તેમાં બ્રહ્મ સમાજના તમામ બ્રહ્મબંધુ અને ભગીનીઓને હાજર રહેવા માટે ટ્રસ્ટીઓએ જણાવ્યુ છે

મોરબી પરશુરામ ધામના ટ્રસ્ટી ભુપતભાઈ પંડ્યાએ જણાવ્યુ છે કે, ભગવાન પરશુરામજીના આશીર્વાદથી મોરબી જિલ્લાની ચારેય બેઠક ઉપર ભાજપના ધારાસભ્યો ચૂંટાયેલ છે ત્યારે કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી અને પ્રકાશભાઈ વરમોરાના સન્માનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથોસાથ પત્રકાર એસો. મોરબીના હોદેદારો તેમજ તમામ સભ્યોનું સન્માન કરવામાં આવશે આ કાર્યક્રમ આગામી રવિવાર તા. ૮/૧ ના રોજ સાંજે પાંચ વાગ્યે પરશુરામ ધામ મોરબી મુકામે રાખેલ છે ત્યારે કાંતિભાઈ અમૃતિયાની સાકર તુલા પણ કરવામાં આવશે તેવું ટ્રસ્ટી ભુપતભાઈ પંડ્યાએ જણાવ્યુ છે






Latest News