વાંકાનેરના દિગ્વિજયનગર પાસેથી દિપડો પાંજરે પુરાયો
SHARE
વાંકાનેરના દિગ્વિજયનગર પાસેથી દિપડો પાંજરે પુરાયો
વાંકાનેરના જુદાજુદા વિસ્તારમાં દીપડાના આંટાફેરા હતા તેવામાં વાંકાનેરના દિગ્વિજયનગરની પાછળ આવેલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાએ દેખા દીધા હતા જેથી વાંકાનેરના લોકોમાં ફફડાટ હતી અને આ અંગેની વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને જાણ કરવામાં આવી હતી જેથી કરીને તેઓએ વન વિભાગના અધિકારીને સૂચના આપી હતી અને વન વિભાગના અધિકારી દ્વારા દીપડાને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હતી અને ગુરુવારે સવારે દીપડો પાંજરે પુરાયો હતો જેથી કરીને વન વિભાગ દ્વારા તેને હાલમાં રામપરા વીડી ખાતે રાખવામા આવેલ છે અને આગામી સમયમાં ઉચ્ચ અધિકારી તરફથી જે આદેશ મળશે તે મુજબની આગળની કાર્યવાહી કરવામાં આવશે