મોરબીના ગાળા ગામ નજીક ટાયર ફાટતા બોલેરો પલ્ટી જતાં સાત વ્યક્તિને ઇજા
મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીનો સેમિનાર યોજાયો
SHARE
મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીનો સેમિનાર યોજાયો
મોરબીમાં આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતી અંગેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં સુરેન્દ્રનગર પ્રોજેક્ટ ડાયરેક્ટર(આત્મા) બી.એ. પટેલે પ્રાકૃતિક ખેતી આ સમયમાં શા માટે જરૂરી છે અને પ્રાકૃતિક ખેતી કરવાથી ખેડૂતનો ખર્ચ કઈ રીતે ઘટે તે અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મોરબીના વડા ડો. જીવાણીએ રાસાયણિક ખેતીની પર્યાવરણ પર થતી આડ અસર વિશે માહિતી આપી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકશ્રી ડી.એ. સરડવાએ પ્રાકૃતિક ખેતીમાં રોગ-જીવાત નિયંત્રણ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રાકૃતિક ખેતી અંગેના સેમિનારનું સફળ સંચાલન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડૉ.વડારિયા, ગમનસિંહ ઝાલા અને નિલેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું