મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને એક જ પરિવારના આઠ લોકોએ કરી રાજયપાલ સમક્ષ ઇચ્છા મૃત્યુની માંગ


SHARE







મોરબી જીલ્લામાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને એક જ પરિવારના આઠ લોકોએ કરી રાજયપાલ સમક્ષ ઇચ્છા મૃત્યુની માંગ

હળવદ તાલુકાના નવા માલણીયા ગામે રહેતા જયંતીભાઈ જીવણભાઈ પરમાર જાતે દલવાડી (૫૬)એ થોડા દિવસો પહેલા તેના ઘર પાસેથી પસાર ટ્રેક્ટર ટ્રૉલી આડે પડતું મૂકીને આપઘાત કર્યો હતો અને ત્યાર બાદ તેના ખિસ્સામાંથી વ્યાજખોરના નામ લખેલી ચિઠ્ઠી પણ મળી આવી હતી જેથી કરીને મૃતકના પરિવારજનોએ હાલમાં મૃતકના પત્ની સહિતના પરિવારજનોએ રાજયપાલને અરજી કરીને ઈચ્છા મૃત્યુ માટે મંજૂરી માંગી છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં નવા માલણીયા ગામે રહેતા ગૌપાલભાઈ જયંતિભાઈ પરમારે રાજ્યપાલને લેખિત રાહુયાત કરીને ઈચ્છા મૃત્યુની માંગ કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના પિતા જયંતિભાઈ જીવણભાઈ પરમાર ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને વ્યાજે રૂપિયા લીધા બાદ તે દેણામાં આવી ગયા હતા અને લેણદારોની ધમકી અને દબાણમાં આવીને તેઓએ તા. ૨૧/૧૨/૨૦૨૨ ના રોજ આત્મ હત્યા કરી હતી અને તેઓએ મૃત્યુ પહેલા સુસાઇડ નોટમાં તમામ માફિયાઓના નામે લખેલ છે જે તેને ધમકી આપતા હતા અને મારી નાખવાનું કહેતા હતા જેથી કંટાળીને તેને આત્મ હત્યા કરી લીધી હતી વધુમાં યુવાને જણાવ્યુ છે કે, તેના પિતાએ દેણું ભરવા માટે ખેતર, મકાન તથા સોનું વેચી નાખેલ હતું તો પણ તેની પાસેથી ઉઘરાણી કરવામાં આવતી હતી અને હવે તેઓનું દેવું ચૂકવવા અમારી પાસે કોઈ મિલકત બાકી રહી નથી. અને અમારા પિતાને પણ ગુમાવી દીધેલ છે જેથી કુટુંબના મોભીની છત્ર છાયા ગુમાવી દીધેલ છે. ત્યારે માથાભારે માફિયા લોકોના ત્રાસથી તેઓનો પરિવાર કંટાળી ગયેલ છે

આ ઘટના બની ત્યાર બાદ હળવદ પોલીસ સ્ટેશને અરજદારના પિતાને મારવા માટે મજબૂર કરનારા હત્યારાઓ અને માથાભારે ઇસમો સામે ફરિયાદ કરવા ગયેલ તો પણ પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર લેવામાં આવી ન હતી અને અનેક વાર રજૂઆત કરવા છતાં ફરિયાદ લેવામાં આવતી નથી અને સરખો જવાબ પણ આપતા નથી જેથી કરીને આત્મ હત્યા કરી લેનારા જયંતિભાઈના પત્ની લીલાબેન જયંતિભાઈ પરમાર, દીકરા ગોપાલભાઈ જયંતિભાઈ પરમાર અને હિતેશભાઇ જયંતિભાઈ પરમાર, પૌત્ર પ્રશાંત ગોપાલભાઈ પરમાર, યશ ગોપાલભાઈ અને જૈનિષ હિતેશભાઈ પરમાર તેમજ પુત્રવધૂ અશમિતાબેન ગોપાલભાઈ પરમાર અને શરોજબેન હિતેશભાઇ પરમારે એકી સાથે એક જ સમયે અને એક જ સ્થળે આત્મ વિલોપન (ઈચ્છા-મૃત્યુ) કરવાનું નક્કી કરેલ છે અને રાજ્યપાલને લેખિત રજૂઆત કરીને ઇચ્છા-મૃત્યુ કરવા માટેની મંજૂરી માંગી છે જેથી કરીને ખળભળાટ મચી ગયો છે






Latest News