ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી-કચ્છના રેલ્વે સુવિધાના પ્રશ્નો અંગે પશ્ચિમ રેલ્વેના  જીએમ સાથે સાંસદોની બેઠકમાં વિનોદભાઈ ચાવડાએ અનેક રજૂઆતો કરી


SHARE











મોરબી-કચ્છના રેલ્વે સુવિધાના પ્રશ્નો અંગે પશ્ચિમ રેલ્વેના  જીએમ સાથે સાંસદોની બેઠકમાં વિનોદભાઈ ચાવડાએ અનેક રજૂઆતો કરી

ગુજરાતના સાંસદો સાથે પશ્ચિમ રેલ્વે જનરલ મેનેજર અશોક કુમાર મિશ્ર સાથે અમદાવાદ ખાતે યોજાયેલી બેઠકમાં કચ્છના સાંસદે કચ્છના રેલ્વે સંબધી પ્રશ્નો, નવી ટ્રેનો માટે માંગણી, સૌરાષ્ટ્ર સાથે રેલ્વે કનેકટીવિટી,
નવા સ્ટોપેજ સહિત મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરી પ્રશ્નોના નિરાકરણ માટે ભાર પૂર્વક રજુઆતો કરી હતી.સાંસદે જણાવ્યુ હતું કે, કચ્છના ૬ તાલુકાઓમાં રેલ્વે સુવિધાઓ નથી જેમાં માંડવી, અબડાસા,લખપત, મુંન્દ્રા, નખત્રાણા, રાપર વિસ્તારમાં ટ્રેન સેવાઓ માટે સર્વે થયા છે. જેમાં જલ્દી થી ટ્રેન સેવાઓ ઉપલબ્ધ થાય માટે રેલ્વે વિભાગ ને જણાવવા માટે રજુઆત સાથે ભુજ-દિલ્હી સુપર ફાસ્ટ ટ્રેન, ભુજ-મુંબઇ પણ રાજધાની જેવી ટ્રેન, ગાંધીધામથી દક્ષિણ ભારતને જોડતી ટ્રેન સેવાઓ શરૂ કરવા, સોલ્ટ ટિંબર, સિમેન્ટ, ફર્ટીલાઈઝર, પેટ્રોલીયમ પ્રોડેકટ અને ખાણ ખનીજ રેલ્વે પરિવહન સેવાઓ વિસ્તૃત કરવા, ગ્વાલીયર-અમદાવાદ ટ્રેનને ભુજ સુંધી લંબાવવા, સાપ્તાહીક ટ્રેનો ને દૈનિક ટ્રીપો વધારવા ખાસ તો કચ્છથી હરિદ્વાર અને અન્ય ધાર્મિક સ્થાનોને જોડતી આસ્થા સર્કિટ ટ્રેનો શરૂ કરવા ભુજ-ગાંધીધામ-વડોદરા ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરવા તેમજ કચ્છથી અન્ય પ્રાંતોમાં જતી ટ્રેનોને માળીયા સ્ટોપેજ આપવા માંગ કરી હતી.

તેમજ ભચાઉ, અંજાર-લાકડીયા સ્ટેશનોથી પસાર ટ્રેનોને સ્ટોપેજ આપવાની વિસ્તૃત ચર્ચા પશ્ચિમ રેલ્વે જનરલ મેનેજર તથા રેલ્વેના અધિકારી વર્ગ સાથે ચર્ચા કરી હતી.ભાવનગરથી સુરેન્દ્રનગર આવતી ટ્રેનને ભુજ સુંધી એક્સટેશન કરવા,પોરબંદર-રાજકોટ ટ્રેનને વાયા મોરબી-કચ્છ જોડવા દરભંગા ટ્રેન, વારાણસી ટ્રેન (અમદાવાદ) ને ભુજ-ગાંધીધામ સુંધી લંબાવવા માટે અને વિકાશશીલ કચ્છના વિકાસમાં સહયોગ આપવા રજુઆતો સાંસદ વિનોદભાઇ ચાવડાએ કરી હતી.૨૦૧૮ થી ભુજ-નલિયા બ્રોડગેજનું કામ બંધ હતું જે હાલે ધીમી ગતિએ શરૂ થયેલ છે.તેને જલ્દીથી પુર્ણ કરવા સબબ ભારપૂર્વક રજુઆત કરતાં પશ્ચિમ રેલ્વે જનરલ મેનેજર તરફથી રજુઆતો ને ધ્યાનમાં લઈ નિરાકરણ માટે હકારાત્મક પ્રતિભાવ આપ્યા હતા.






Latest News