મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી : ખરીદી કરવા બજારમાં પતિ સાથે ન લઈ જતા ચાર દિવસથી ગુમ થયેલ મહિલાનો મૃતદેહ મળ્યો


SHARE







મોરબી : ખરીદી કરવા બજારમાં પતિ સાથે ન લઈ જતા ચાર દિવસથી ગુમ થયેલ મહિલાનો મૃતદેહ મળ્યો

મોરબી તાલુકાના કૃષ્ણનગર (કોયલી) ગામે રહેતા અને મૂળ મધ્યપ્રદેશના વતની મહિલા છેલ્લા ચાર દિવસથી ગુમ હતા દરમ્યાનમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો અને પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે મૃતક પરણીતાનો પતિ ખરીદી કરવા માટે બજારમાં જતો હોય અને પરણીતાને સાથે જવું હતુ પરંતુ પતિએ તેણીને સાથે લઈ જવાની ના પાડી હતી જેથી છેલ્લા ચાર દિવસથી પરણીતા ગુમ હતી અને દરમિયાનમાં તેણીનો મૃતદે મળ્યો છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ હાલ મોરબીના કૃષ્ણનગર (કોયલી) ગામે રવજીભાઈ ભીમજીભાઇ ભીમાણીની વાડીએ રહેતા અને મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકામાં આવેલ બામણીયા ફળિયું ઉંડારી ગામના વતની સેલુબેન વેસુભાઈ પાતુભાઈ માવદા નામની ૨૫ વર્ષની આદિવાસી મહિલાનો કૃષ્ણનગર ગામેથી મૃતદેહ મળી આવ્યો હતો અને બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના બીટ વિસ્તારના જમાદાર મહેશભાઈ કહાંગરા દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ખુલ્યુ હતું કે મૃતક સેલુબેન વેસુભાઈ માવદા છેલ્લા ચાર દિવસથી ગુમ હતા અને દરમિયાનમાં તેમનો મૃતદેહ મળી આવ્યો છે.પોલીસે મૃતકના પતિ સહિતનાઓના નિવેદન નોંધતા તપાસમાં ખુલ્યુ હતું કે ચાર દિવસ પહેલા પતિ વેસુભાઇ ખરીદી કરવા માટે બજારમાં લતીપર બાજુ જતા હતા ત્યારે સેલુબેને પણ સાથે જવા માટે જીદ કરી હતી પરંતુ પતિએ તેઓને સાથે બજારમાં લઈ જવાની ના પાડી હતી જેથી કરીને લાગી આવતા સેલુબેન ચાર દિવસ પહેલા ઘરેથી નીકળી ગયા હતા અને ચાર દિવસથી ગુમ હતા દરમ્યાનમાં તેઓનો મૃતદેહ મળી આવ્યો છે. શરીર ઉપર જો કે ઈજાના કોઈ નિશાન નહોતા મળ્યા પરંતુ કોઈ ઝેરી પદાર્થ પીધો હોય અને તેઓનું મોત થયુ હોય તેવા પ્રાથમિક અનુમાન સાથે હાલ તેમના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે મૃતક સેલુબેન માવદાનો લગ્નગાળો આઠ વર્ષનો હતો અને તેમને સંતાનમાં એક બાળક છે.હાલ તાલુકા પોલીસ આ અંગે આગળ તપાસ ચલાવી રહી છે.

વાહન અકસ્માત સર્જી નેપાળીનું મોત નિપજાવનાર પકડાયો

મોરબીના લીલાપર ચોકડી પાસે ડબલ સવારીમાં બાઇકમાં જતા નેપાળીના બાઈકને ડમ્પર ચાલકે હડફેટો લીધું હતું જે બનાવમાં ગંગારામભાઈ નામના નેપાળી આધેડનું મોત નિપજયુ હતું.જે અંગે તાલુકા પોલીસ મથક ખાતે ગુનો નોંધાયો હતો.તે બનાવમાં હાલમાં તપાસ દરમિયાન તાલુકા પીએસઆઇ બી.એમ.બગડા અને રાઇટર વાસુદેવભાઈ દ્વારા અકસ્માત સર્જીને નેપાળીનું મોત નીપજાવનાર ડમ્પરના ચાલક પુનાભાઈ શીવાભાઈ દારોદરા જાતે કોળી (ઉમર ૫૫) રહે.નવાગામ તાલુકો જીલ્લો મોરબીની ધરપકડ કરવામાં આવી હતી.






Latest News