મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

મોરબી : ડેરીમાં સાથે કામ કરતો યુપીનો શખ્સ સગીરાને ભગાડી જતા ગુનો નોંધાયો


SHARE









મોરબી : ડેરીમાં સાથે કામ કરતો યુપીનો શખ્સ સગીરાને ભગાડી જતા ગુનો નોંધાયો

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ડેરીમાં સાથે કામ કરતો મૂળ યુપીનો શખ્સ મોરબીની સગીરાનું અપહરણ કરીને ભગાડી જતા હાલમાં ભોગ બનેલ પરિવાર દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી સગીરાની ભાળ મેળવવા અને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના શનાડા રોડ ઉપર આવેલ ડેરીમાં કામ કરતી સગીરાને લલચાવી ફોસલાવી બદકામ કામ કરવાના ઇરાદે અપહરણ કરી જવામાં આવેલ હોય ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા હાલમાં એ ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.જેમાં તેઓએ સંજય ચંદનસિંહ યાદવ રહે. બડાગાવ જસનારા ફિરોઝાબાદ ઉત્તરપ્રદેશ નામના શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ છે વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભોગ બનેલ સગીરા અને આરોપી સંજય યાદવ બંને ડેરીમાં સાથે કામકાજ કરતા હતા દરમિયાનમાં લલચાવી ફોસલાવીને ઉપરોક્ત ઇશમ દ્વારા સગીરાનુ અપહરણ કરવામાં આવ્યું છે હાલમાં પોલીસે કલમ ૩૬૩ અને ૩૬૬ મુજબ સંજય યાદવ નામના યુપીના શખ્સ સામે ગુનો નોંધ્યો છે જેની તપાસ એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજા ચલાવી રહ્યા છે.

ઝેરી દવા પી જતા સારવારમાં

સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકામાં આવેલ ચુલી ગામે રહેતા દિનેશ ભીખાભાઈ સોલંકી નામના ૨૫ વર્ષના યુવાને ચુલી ગામે રઘુભાઈ પોપટભાઈ ભરવાડની વાડી નજીક કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી લેતા તેને વધુ સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો જેથી એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરી ધાંગધ્રા પોલીસને બનાવ અંગે જાણ કરેલ છે.જ્યારે સુરેન્દ્રનગરના થાન તાલુકાના વીજળીયા ગામે રહેતા છાંયાબેન હિતેશભાઈ ઝાલા નામની ૨૧ વર્ષીય મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને છાંયાબેનને પણ સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વીસીપરા પાછળ આવેલ અમરેલી ગામે રહેતા ધ્રુવ સતિષભાઈ દેત્રોજા નામના ૨૨ વર્ષના યુવાનને મોરબીના નાનીવાવડી ગામે સમજુબા સ્કૂલ નજીક આવેલ ભગવતી પાર્ક સોસાયટી સામે બાઇકમાંથી પડી જવાના બનેલ બનાવમાં ઇજાઓ થતા તેને અહીંની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી હાલમાં એ ડિવિઝન પોલીસ દ્વારા આ બનાવની નોંધ કરીને આગળની તપાસ એચ.એમ.ચાવડાને સોંપવામાં આવેલ હોય તેવો તપાસ ચલાવી રહ્યા છે.






Latest News