મોરબીમાં યુવા આર્મી ગ્રુપ દ્વારા યુવા દિવસની ઉજવણી કરવામાં આવી
SHARE
મોરબીમાં યુવા આર્મી ગ્રુપ દ્વારા યુવા દિવસની ઉજવણી કરવામાં આવી
૧૨ જાન્યુ. ૧૮૬૩ ભારતમા એક યુગ પુરુષનો જન્મ થયો હતો જેને આજની તારીખે લોકો સ્વામી વિવેકાનંદજીના નામથી જાણે છે તેની જન્મજયંતિને ભારતદેશ રાષ્ટ્ર યુવાદિવસ તરીકે મનાવે છે ત્યારે તેમનુ જીવન પણ આજના યુવા માટે અત્યંત પ્રેરણાદાયક છે. ત્યારે ભારતના પહેલા સાધુ જેમને આધ્યાત્મિકતા અને રાષ્ટ્રવાદ બને સાથે રાખીને ભારતદેશની સંસ્કૃતિનો પરિચય વિશ્વને કરાવ્યો હતી અને શિકાગોની ધર્મ સભામા આપેલી તેમની સ્પીચ હોઈ કે ભારતભ્રમણ દ્વારા હિન્દુધર્મનો પ્રચારકાર્ય વિશ્વવંદનીય છે આવા યુગ પુરુષથી પ્રેરિત થયને મોરબીને રાજકોટમાં યુવાશક્તિ ફાઉન્ડેશન દ્વારા રક્તદાનનુ કાર્ય ચાલી રહ્યુ છે જે દિવસ રાત લોકોની બ્લડની ઈમરજન્સી જરૂરિયાત પૂરી પાડતું હોય છે ત્યારે આજે યુવા દિવસ નિમિત્તે યુવા આર્મી ગ્રુપ, મોરબીના યુવાનો દ્વારા મોરબીમાં દરબાર ગઢ પાસે આવેલ સ્વામી વિવેકાનંદના સ્ટેચ્યુને સ્વચ્છ કરીને ફુલહાર ચડાવી યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.