વિશ્વ શાંતિ માટે મોરબીમાં આગામી ગુરુવારે નવકાર મંત્ર જાપનું આયોજન મોરબી મહાપાલિકાની 52 બેઠકો સાથે કોંગ્રેસ 23 ઉમેદવાર જાહેર કર્યા: 29 મુરતિયાને શોધવા કાવયત મોરબીના કેસર બાગમાં પાણીના ટાંકા પાસે પડી ગયા બાદ વૃદ્ધનું મોત જોડિયાના દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી પકડાયો વાંકાનેર તાલુકામાં ગેરકાયદે બ્લાસ્ટ થાય તે પહેલા SOG ત્રાટકી: 475 જીલેટીંગ સ્ટીક સહિત 3.18 લાખના મુદામલ સાથે એક પકડાયો, 12 સામે ફરિયાદ મોરબીમાં વિદેશી દારૂની 4 રેડમાં 116 બોટલ દારૂ અને 68 બીયરના ટીન સાથે 5 આરોપી ઝડપાયા: 4 ની શોધખોળ મોરબીના ઘુંટુ ગામે ઘરેથી દુકાને વસ્તુ લેવા જવાનું કહીને નીકળેલ યુવતી ગુમ મોરબી: પત્ની સાથે ઝઘડો થયા બાદ દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં જ્ઞાનધારા વિભાગ હેઠળ બે કાર્યક્રમો યોજાયા


SHARE











મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં જ્ઞાનધારા વિભાગ હેઠળ બે કાર્યક્રમો યોજાયા

મોરબીની સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં જ્ઞાનધારા વિભાગ અંતર્ગત ૬ જાન્યુઆરીના સામાન્ય જ્ઞાન પરીક્ષા યોજવામાં આવી હતી. ભારતીય બંધારણ ઉપર વૈકલ્પિક પ્રકારના પ્રશ્નોથી લેવાયેલ પરીક્ષામાં રાઠોડ હેતલ, વાઘેલા હીના તથા શિયાર જયેશ સંયુક્ત રીતે પ્રથમ ક્રમે આવેલ. આ  ઉપરાંત ૧૨મી જાન્યુઆરીના સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે જ્ઞાનધારા વિભાગ દ્વારા વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં રાઠોડ હેતલ પ્રથમ ક્રમે, કુંભરવડિયા નિખિલ દ્વિતીય ક્રમે તથા ગોગરા મુના તૃતીય ક્રમે આવેલ.બંને સ્પર્ધાનું આયોજન જ્ઞાન ધારાના કોર્ડીનેટર ડો.રામ વારોતરીયા દ્વારા કરવામાં આવેલ.જેમાં પ્રિન્સિપાલ પ્રા.કે.આર. દંગી તથા સ્ટાફગણ ઉપસ્થિત રહેલ.વકૃત્વ સ્પર્ધામાં ડો.અનિલસિંહ રાજપુત તથા ડો.રેખાબેન શાહે નિર્ણાયક તરીકે કામગીરી બજાવી હતી






Latest News