મોરબી જીલ્લામાં વ્યાજખોરો સામે આકરા પગલાં લેવા બદલ એસપીનું કરાયું સન્માન
SHARE
મોરબી જીલ્લામાં વ્યાજખોરો સામે આકરા પગલાં લેવા બદલ એસપીનું કરાયું સન્માન
ગુજરાત રાજ્ય ભરમાં દરેક જીલ્લા તાલુકા મથકે પોલીસ સ્ટેશનમાં લોક દરબાર યોજાય છે જેમાં ગેરકાનૂની રીતે નાણાં વ્યાજે આપી જબરજસ્તીથી નાણા વસૂલનાર સામે સરકારના નિર્ણયને પગલે સમગ્ર ગુજરાતમાં લોકોની જાગૃતિ લાવવા માટે તમામ પોલીસ સ્ટેશનમાં લોક દરબાર યોજાય છે જેમાં મોરબી શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લોક દરબારમાં જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીના માજી કાઉન્સિલર તેમજ મોરબી જીલ્લાના અખિલ ભારતીય કોળી સમાજના પ્રભારી સુરેશભાઈ શિરોહીયા, તાલુકા પંચાયતના સદસ્ય તુલસીભાઈ પાટડીયા, પ્રભુભાઇ કગથરા, મનુભાઇ ઉપાસરીયા પ્રવીણભાઇ ટીડાણી (સરપંચ ત્રાજપર) સાથે મોરબીના તમામ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.
ABVP મોરબી શાખા દ્વારા પરિષદ કી પાઠશાલા યોજવામાં આવી
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949 થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વ નું સૌથી મોટું વિધાર્થીઓ નું સંગઠન છે. ABVP મોરબી શાખા દ્વારા પરિષદ કી પાઠશાલા કરવામાં આવી જેમાં ઝૂંપપટ્ટીમાં રહેતા બાળકોને ભણાવામાં આવ્યા અને સાથે રમત-ગમત અને નાસ્તો કરાવામાં આવ્યો.