હળવદના ટીકર ગામે યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો, ગંભીર ઈજા પામેલ યુવાન અમદાવાદ સારવાર માટે ખસેડાયો માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા રજત જયંતિ સમૂહલગ્નોત્સવનું આયોજન


SHARE











મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા રજત જયંતિ સમૂહલગ્નોત્સવનું આયોજન

મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા રજત જયંતિ સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા.૨૬ ના રોજ મોરબીના ચાંચાપર ગામે એક જ માંડવા નીચે ૫૬ નવ યુગલો સંતો-મહંતો અને સમાજના આગેવાનોના આશીર્વાદ સાથે પ્રભુતામાં ડગલાં માંડશે.

મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા રજત જયંતિ સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ વખતે સમાજની ૫૬ દીકરીઓના સમાજના આગેવાનો તેમજ સંતો મહંતોની હાજરીમાં સમૂહલગ્ન યોજાશે. ત્યારે ૨૪ તારીખે બપોરે ૩.૧૫ કલાકે મંડપ મહુર્ત, તા.૨૫ ના રોજ સવારે ૬ કલાકે જાન આગમન, ૬:૩૦ કલાકે સામૈયા, ૭:૦૦ કલાકે હસ્ત મેળાપ, ૧૦:૦૦ કલાકે આશીર્વચન યોજાશે આ તકે ઊંઝા ઉમિયા મંદિરના પ્રમુખ બાબુભાઇ પટેલ, બગથળા નકલંક મંદિરના મહંત દામજીભગત, જેરામભાઈ વાંસજાળિયા, ગોવિંદભાઇ ધોળકિયા, આર.પી.પટેલ, મથુરભાઇ સવાણી, ગોવિંદભાઇ વરમોરા, પ્રવીણભાઈ ભાલોડીયા, વાલજીભાઇ ફળદુ, મોહનભાઇ કુંડારિયા, જયંતિભાઈ કવાડીયા, હંસરાજભાઇ ધોળુ, બાબુભાઇ ઘોડાસરા અને જયસુખભાઇ પટેલ સહિતના આગેવાનો હાજર રહેશે અને નવ દંપતીઓને આશીર્વાદ આપશે અને આ દીકરીઓને દાતાઓના સહયોગથી આયોજકો તરફથી સોનાથી લઈને સોય સુધી કુલ મળીને ૬૮ વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવશે તેવું  મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ મનસુખભાઇ કૈલા તેમજ જયંતિભઈ વિડજાએ માહિતી આપતા જણાવ્યુ છે.

સરદાર લેઉઆ પાટીદાર સમાજ

ટંકારા શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ યુવા સમિતિ અને મહિલા સમિતિ દ્વારા તા ૨૬ ને ગુરૂવારબ રોજ વસંતપંચમીનાં દિવસે એક જ માંડવે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને ચતુર્થ સમૂહ લગ્નમાં ૧૯ યુગલ સમાજના આગેવાનોની હાજરીમાં સંતો મહંતોના આશીર્વાદ સાથે પ્રભુતામાં પગલાં માંડશે આ કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ, માજી મંત્રી અને ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતના આગેવાનો અને સંતો મહંતો હાજર રહેશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યકર્તા બેચરભાઈ ઢેઢી, યુવા કમિટી પ્રમુખ અજય સંઘાણી, ઉપપ્રમુખ વિમલ ભાગિયા, મંત્રી અલ્પેશ મુંજાત, હસમુખ દુબરીયા, મુકેશ દુબરિયા, દિવ્યેશ નમેરા, ફાલ્ગુન સંઘાણી, નિલેશ પટ્ટણી, નિરવ ભાગીયા તેમજ મહિલા સમિતિ અને આગેવાનો સહિતનાઑ જહેમત ઉઠાવી રહ્યા છે






Latest News