મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મેયર સહિતની ટીમે પ્રસાદનું વિતરણ કર્યું મોરબીમહાપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મેયરની હાજરીમાં વૃક્ષારોપણ કરાયું રેન્જ આઇજી ચિરાગ કોરડીયાનું મોરબીમાં સિરામિક એસો. દ્વારા ભગવાન રામની પ્રતિમા અર્પણ કરીને કરાયું સ્વાગત કચ્છ-મોરબીના રેન્જ આઇજી ચિરાગ કોરડીયા આજે મોરબીમાં: અધિકારીઓએ સાથે સમિક્ષા બેઠક યોજાઇ, ખનીજ માફિયાઓ સામે આકરી કાર્યવાહીના સંકેત મોરબીના રવાપર ગામે એસિડ પી ગયેલ નવોઢા બેભાન હાલતમાં સારવારમાં મોરબીના ઘોડાધ્રોય ડેમમાંથી માટી કાઢવાનો કોન્ટ્રાક્ટ રાખનારા વૃદ્ધને ધોકા વડે માર માર્યો મોરબીના ખાનપર ગામે રહેતા યુવાનને 30 ટકાના ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી કરનારા બે વ્યાજખોર સામે ફરિયાદ મોરબીના નવા જાંબુડિયા ગામે માવતરના ઘરે રિસામણે બેઠેલ પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા રજત જયંતિ સમૂહલગ્નોત્સવનું આયોજન


SHARE











મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા રજત જયંતિ સમૂહલગ્નોત્સવનું આયોજન

મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા રજત જયંતિ સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા.૨૬ ના રોજ મોરબીના ચાંચાપર ગામે એક જ માંડવા નીચે ૫૬ નવ યુગલો સંતો-મહંતો અને સમાજના આગેવાનોના આશીર્વાદ સાથે પ્રભુતામાં ડગલાં માંડશે.

મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા રજત જયંતિ સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ વખતે સમાજની ૫૬ દીકરીઓના સમાજના આગેવાનો તેમજ સંતો મહંતોની હાજરીમાં સમૂહલગ્ન યોજાશે. ત્યારે ૨૪ તારીખે બપોરે ૩.૧૫ કલાકે મંડપ મહુર્ત, તા.૨૫ ના રોજ સવારે ૬ કલાકે જાન આગમન, ૬:૩૦ કલાકે સામૈયા, ૭:૦૦ કલાકે હસ્ત મેળાપ, ૧૦:૦૦ કલાકે આશીર્વચન યોજાશે આ તકે ઊંઝા ઉમિયા મંદિરના પ્રમુખ બાબુભાઇ પટેલ, બગથળા નકલંક મંદિરના મહંત દામજીભગત, જેરામભાઈ વાંસજાળિયા, ગોવિંદભાઇ ધોળકિયા, આર.પી.પટેલ, મથુરભાઇ સવાણી, ગોવિંદભાઇ વરમોરા, પ્રવીણભાઈ ભાલોડીયા, વાલજીભાઇ ફળદુ, મોહનભાઇ કુંડારિયા, જયંતિભાઈ કવાડીયા, હંસરાજભાઇ ધોળુ, બાબુભાઇ ઘોડાસરા અને જયસુખભાઇ પટેલ સહિતના આગેવાનો હાજર રહેશે અને નવ દંપતીઓને આશીર્વાદ આપશે અને આ દીકરીઓને દાતાઓના સહયોગથી આયોજકો તરફથી સોનાથી લઈને સોય સુધી કુલ મળીને ૬૮ વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવશે તેવું  મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ મનસુખભાઇ કૈલા તેમજ જયંતિભઈ વિડજાએ માહિતી આપતા જણાવ્યુ છે.

સરદાર લેઉઆ પાટીદાર સમાજ

ટંકારા શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ યુવા સમિતિ અને મહિલા સમિતિ દ્વારા તા ૨૬ ને ગુરૂવારબ રોજ વસંતપંચમીનાં દિવસે એક જ માંડવે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને ચતુર્થ સમૂહ લગ્નમાં ૧૯ યુગલ સમાજના આગેવાનોની હાજરીમાં સંતો મહંતોના આશીર્વાદ સાથે પ્રભુતામાં પગલાં માંડશે આ કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ, માજી મંત્રી અને ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતના આગેવાનો અને સંતો મહંતો હાજર રહેશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યકર્તા બેચરભાઈ ઢેઢી, યુવા કમિટી પ્રમુખ અજય સંઘાણી, ઉપપ્રમુખ વિમલ ભાગિયા, મંત્રી અલ્પેશ મુંજાત, હસમુખ દુબરીયા, મુકેશ દુબરિયા, દિવ્યેશ નમેરા, ફાલ્ગુન સંઘાણી, નિલેશ પટ્ટણી, નિરવ ભાગીયા તેમજ મહિલા સમિતિ અને આગેવાનો સહિતનાઑ જહેમત ઉઠાવી રહ્યા છે






Latest News