મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મેયર સહિતની ટીમે પ્રસાદનું વિતરણ કર્યું મોરબીમહાપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મેયરની હાજરીમાં વૃક્ષારોપણ કરાયું સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મોરબી મહાપાલિકા દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને તેમાં મોરબી મહાપાલિકાના મે રેન્જ આઇજી ચિરાગ કોરડીયાનું મોરબીમાં સિરામિક એસો. દ્વારા ભગવાન રામની પ્રતિમા અર્પણ કરીને કરાયું સ્વાગત કચ્છ-મોરબીના રેન્જ આઇજી ચિરાગ કોરડીયા આજે મોરબીમાં: અધિકારીઓએ સાથે સમિક્ષા બેઠક યોજાઇ, ખનીજ માફિયાઓ સામે આકરી કાર્યવાહીના સંકેત મોરબીના રવાપર ગામે એસિડ પી ગયેલ નવોઢા બેભાન હાલતમાં સારવારમાં મોરબીના ઘોડાધ્રોય ડેમમાંથી માટી કાઢવાનો કોન્ટ્રાક્ટ રાખનારા વૃદ્ધને ધોકા વડે માર માર્યો મોરબીના ખાનપર ગામે રહેતા યુવાનને 30 ટકાના ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી કરનારા બે વ્યાજખોર સામે ફરિયાદ મોરબીના નવા જાંબુડિયા ગામે માવતરના ઘરે રિસામણે બેઠેલ પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લેતા બી.એડ.કોલેજના તાલીમાર્થીઓ


SHARE











મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લેતા બી.એડ.કોલેજના તાલીમાર્થીઓ

મોરબી.શિક્ષક તરીકે નિમણુંક મેળવવા માંગતા વિદ્યાર્થીઓ ઓમ વિદ્યાવાસિની અને શ્રીમતી પ્રભાબેન પટેલ બી.એડ.કોલેજમાં હાલ અભ્યાસ કરી રહ્યા છે અને અધ્યયન-અધ્યાપન પદ્ધતિ શીખી રહ્યા છે ત્યારે શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય કેવી રીતે કરવુંશાળામાં કયા કયા પત્રકો રજીસ્ટરો નિભાવવા,નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જોગવાઈઓસ્કૂલ મેનેજમેન્ટ કમિટી,સમગ્ર શિક્ષા અભિયાનની વિવિધ યોજનાઓની પ્રત્યક્ષ જાણકારી મેળવવા માટે અત્રેની માધાપરવાડી કન્યા શાળાની મુલાકાત લીધી હતી.જેમાં સંસ્થાના વડા દિનેશભાઈ વડસોલાએ શાળામાં ચાલતા જ્ઞાનકુંજ પ્રોજેકટ અંતર્ગત પ્રોજેક્ટર અને સ્માર્ટ બોર્ડની મદદથી આઠમા ધોરણનો પાઠ કાવ્ય એક જ દે ચિનગારી.. મહાનલ એક જ  દે ચિનગારી નું નિદર્શન કરાવ્યું હતું.સાથે સાથે શિક્ષણ વિવિધ યોજનાઓ રાઈટ ટુ એજ્યુકેશન,બેગલેસ એજ્યુકેશન,મધ્યાહ્નન ભોજન શિષ્યવૃત્તિ,સી.આર.સી.બી.આર.સી. પે સેન્ટર શાળા,નિયામક કચેરી,જિલ્લા શિક્ષણ સમિતિ વગેરેની વિસ્તૃત માહિતી આપી હતી.તાલીમાર્થીઓ તેમજ પ્રોફેસર દ્વારા દિનેશભાઈ વડસોલાનું સન્માન કર્યું હતું.શાળાની મુલાકાત લેવા બદલ સંસ્થા વતી દિનેશભાઈ વડસોલાએ ટ્રષ્ટિ સુમંતભાઈ પટેલ,ભવ્યદીપસિંહ જેઠવા,આચાર્ય ધર્મેન્દ્રભાઈ ગડેસિયાનો આભાર પ્રકટ કર્યો હતો.સમગ્ર મુલાકાત માટે બી.એડ.ના એચ.ઓ.ડી. કેતનભાઈ જોશી તથા સમગ્ર સ્ટાફે ખુબ સરસ વ્યવસ્થાપન કર્યું હતું.






Latest News