મોરબી જીલ્લામાં અકસ્માત નિવારવા પોલીસનો નવતર અભિગમ
SHARE
મોરબી જીલ્લામાં અકસ્માત નિવારવા પોલીસનો નવતર અભિગમ
મોરબીમાં ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માતોના નિવારણ માટે થઈને લોકોને જાગૃત કરવા માટે થઈને છેલ્લા એક સપ્તાહથી કાર્યવાહી કરવામાં આવતી હતી દરમિયાન મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ભક્તિનગર સર્કલ પાસે ભારવાહક વાહનો ઉભા રાખીને પોતાનું ગુજરાન ચલાવતા વાહન ચાલકોને ટ્રાફિક પોલીસની અધિકારી સહિતની ટીમ દ્વારા ટ્રાફિકના નિયમો વિશે સમજૂત કરવામાં આવ્યા હતા અને અકસ્માતો નિવારવા માટે થઈને ભાર વાહક વાહનોની પાછળ રેડિયમ સ્ટીકર પણ લગાવવાની કામગીરી પોલીસ વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી હતી અને ખાસ કરીને વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોને અનુસરવા અને અકસ્માતોને નિવારવા માટે વાહનોને ઓવરપીડ ન ચલાવવા માટેનું જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ