મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

લો બોલો, મોરબી ડેપોની ધક્કા ગાડી બસના સમાચાર બાદ અધિકારીઓનો ડ્રાઇવરને ત્રાસ !


SHARE













લો બોલો, મોરબી ડેપોની ધક્કા ગાડી બસના સમાચાર બાદ અધિકારીઓનો ડ્રાઇવરને ત્રાસ !

મોરબી એસ.ટી. ડેપોમાં આપવામાં આવેલ બસમાં સમયસર રિપેરિંગ અને સારી બેટરીના અભાવે ઘણી બસોને થોડા સમયા પહેલા ધક્કા મારીને ચાલુ કરવામાં આવતી હતી જે મુદો પત્રકારોના ધ્યાને આવતા તેના સમાચાર બનાવવામાં આવ્યા હતા અને તે સમયે ઘણા એસટીના કર્મચારીના ઈંટરવ્યૂહ પણ લેવામાં આવ્યા હતા જો કે, એક ફિક્સ પગારદાર ડ્રાઇવરને ટાર્ગેટ કરીને અધિકારી અને યુનિયનના આગેવાનો દ્વારા ત્રાસ આપવામાં આવી રહ્યો છે જેથી તેઓના ત્રાસના લીધે હાલમાં હંગામી કર્મચારીએ રાજીનામુ ધરી દીધું છે જો કે, અન્ય કર્મચારીઓ સામે કેમ કોઈ પગલાં લેવામાં આવેલ નથી અને જે તે સમયે બસમાં રિપેરિંગ કે સમાન ન હોવાથી હેરાનગતિ હતી તો તે બેદરકારી માટે કેમ કોઇની સામે પગલાં લેવામાં આવ્યા નથી

મોરબી એસટી ડેપોમાં ફિક્સ પગારદાર કર્મચારી તરીકે નોકરી કરતાં ડ્રાઇવર ઝાલા કુલદિપસિંહ મહેન્દ્રસિંહએ ગુજરાત રાજ્ય વાહનવ્યવહાર નિગમના મેનેજીંગ ડીરેકટરને રાજીનામું ધરી દીધું છે જેમાં યુનિયન આગેવાન અધિકારીઓ, અન્ય અધિકારી, કર્મચારી સામે કેટલાક ધગધગતા આક્ષેપો કરેલ છે અને તેઓના માનસીક, આર્થિક અને શારિરીક ત્રાસથી કંટાળીને રાજીનામું મૂક્યું છે તેવો ઉલ્લેખ કર્યો છે હાલમાં જે કર્મચારીએ રાજીનામું આપેલ છે તેને લખ્યું છે કે, મોરબી ડેપોના યુનિયનના આગેવાન અધિકારી અને કર્મચારીઓ દ્વારા તેઓને હેરાન કરવામાં આવે છે કેમ કે, મોરબી એસ.ટી. ડેપોમાં આપવામાં આવેલ બસમાં સમયસર રિપેરિંગ અને સારી બેટરીના અભાવે ઘણી બસોને થોડા સમયા પહેલા ધક્કા મારીને ચાલુ કરવામાં આવતી હતી  અને રાત્રિ રોકાણ માટે ગામડે જે બસો જતી હોય તેને ચાલુ કરવા માટે મુશ્કેલીઓ થતી હતી જેથી કરીને મુસાફરો પાસેથી આ મુદો પત્રકારોના ધ્યાને આવતા તેના સમાચાર બનાવવામાં આવ્યા હતા અને તે સમયે એસટીના હેડ મિકેનિક સહિતના ઘણા કર્મચારીના ઈંટરવ્યૂહ પણ લેવામાં આવ્યા હતા જો કે, એક ફિક્સ પગારદાર ડ્રાઇવરને ટાર્ગેટ કરીને અધિકારી અને યુનિયનના આગેવાનો દ્વારા ત્રાસ આપવામાં આવી રહ્યો છે જેથી તેઓના ત્રાસના લીધે હાલમાં હંગામી કર્મચારીએ રાજીનામુ ધરી દીધું છે જો કે, અન્ય કર્મચારીઓ સામે કેમ કોઈ પગલાં લેવામાં આવેલ નથી ? અને જે તે સમયે બસમાં રિપેરિંગ કે સમાન ન હોવાથી જે હેરાનગતિ હતી તે બેદરકારી માટે ડેપો મેનેજર સહિતના કોઈપણ કર્મચારી સામે કેમ કોઇની સામે પગલાં લેવામાં આવ્યા નથી ? તે પ્રશ્ન છે






Latest News