વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર ! વાંકાનેરમાં ઘરમાંથી 935 ગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ વાંકાનેરમાં મોબાઈલની દુકાનમાં ટી-20 ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ મોરબીમાં મોબાઈલથી વરલીના આંકડા લેતા એક પકડાયો, એકની શોધખોળ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા મોરબી સિરામિક ઉદ્યોગમાં ગેસની સપ્લાઈ-ભાવ મુદે ગુજરાત ગેસ કંપનીના એમડી-અધિકારીઓએ સાથે મિટિંગ યોજાઇ
Breaking news
Morbi Today

લો બોલો, મોરબી ડેપોની ધક્કા ગાડી બસના સમાચાર બાદ અધિકારીઓનો ડ્રાઇવરને ત્રાસ !


SHARE













લો બોલો, મોરબી ડેપોની ધક્કા ગાડી બસના સમાચાર બાદ અધિકારીઓનો ડ્રાઇવરને ત્રાસ !

મોરબી એસ.ટી. ડેપોમાં આપવામાં આવેલ બસમાં સમયસર રિપેરિંગ અને સારી બેટરીના અભાવે ઘણી બસોને થોડા સમયા પહેલા ધક્કા મારીને ચાલુ કરવામાં આવતી હતી જે મુદો પત્રકારોના ધ્યાને આવતા તેના સમાચાર બનાવવામાં આવ્યા હતા અને તે સમયે ઘણા એસટીના કર્મચારીના ઈંટરવ્યૂહ પણ લેવામાં આવ્યા હતા જો કે, એક ફિક્સ પગારદાર ડ્રાઇવરને ટાર્ગેટ કરીને અધિકારી અને યુનિયનના આગેવાનો દ્વારા ત્રાસ આપવામાં આવી રહ્યો છે જેથી તેઓના ત્રાસના લીધે હાલમાં હંગામી કર્મચારીએ રાજીનામુ ધરી દીધું છે જો કે, અન્ય કર્મચારીઓ સામે કેમ કોઈ પગલાં લેવામાં આવેલ નથી અને જે તે સમયે બસમાં રિપેરિંગ કે સમાન ન હોવાથી હેરાનગતિ હતી તો તે બેદરકારી માટે કેમ કોઇની સામે પગલાં લેવામાં આવ્યા નથી

મોરબી એસટી ડેપોમાં ફિક્સ પગારદાર કર્મચારી તરીકે નોકરી કરતાં ડ્રાઇવર ઝાલા કુલદિપસિંહ મહેન્દ્રસિંહએ ગુજરાત રાજ્ય વાહનવ્યવહાર નિગમના મેનેજીંગ ડીરેકટરને રાજીનામું ધરી દીધું છે જેમાં યુનિયન આગેવાન અધિકારીઓ, અન્ય અધિકારી, કર્મચારી સામે કેટલાક ધગધગતા આક્ષેપો કરેલ છે અને તેઓના માનસીક, આર્થિક અને શારિરીક ત્રાસથી કંટાળીને રાજીનામું મૂક્યું છે તેવો ઉલ્લેખ કર્યો છે હાલમાં જે કર્મચારીએ રાજીનામું આપેલ છે તેને લખ્યું છે કે, મોરબી ડેપોના યુનિયનના આગેવાન અધિકારી અને કર્મચારીઓ દ્વારા તેઓને હેરાન કરવામાં આવે છે કેમ કે, મોરબી એસ.ટી. ડેપોમાં આપવામાં આવેલ બસમાં સમયસર રિપેરિંગ અને સારી બેટરીના અભાવે ઘણી બસોને થોડા સમયા પહેલા ધક્કા મારીને ચાલુ કરવામાં આવતી હતી  અને રાત્રિ રોકાણ માટે ગામડે જે બસો જતી હોય તેને ચાલુ કરવા માટે મુશ્કેલીઓ થતી હતી જેથી કરીને મુસાફરો પાસેથી આ મુદો પત્રકારોના ધ્યાને આવતા તેના સમાચાર બનાવવામાં આવ્યા હતા અને તે સમયે એસટીના હેડ મિકેનિક સહિતના ઘણા કર્મચારીના ઈંટરવ્યૂહ પણ લેવામાં આવ્યા હતા જો કે, એક ફિક્સ પગારદાર ડ્રાઇવરને ટાર્ગેટ કરીને અધિકારી અને યુનિયનના આગેવાનો દ્વારા ત્રાસ આપવામાં આવી રહ્યો છે જેથી તેઓના ત્રાસના લીધે હાલમાં હંગામી કર્મચારીએ રાજીનામુ ધરી દીધું છે જો કે, અન્ય કર્મચારીઓ સામે કેમ કોઈ પગલાં લેવામાં આવેલ નથી ? અને જે તે સમયે બસમાં રિપેરિંગ કે સમાન ન હોવાથી જે હેરાનગતિ હતી તે બેદરકારી માટે ડેપો મેનેજર સહિતના કોઈપણ કર્મચારી સામે કેમ કોઇની સામે પગલાં લેવામાં આવ્યા નથી ? તે પ્રશ્ન છે






Latest News