ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વાધરવા પાસે વોલ્વો બસનો અકસ્માત સર્જનાર ડ્રાઈવર સામે ગુનો નોંધાયો


SHARE













માળીયા (મી)ના વાધરવા પાસે વોલ્વો બસનો અકસ્માત સર્જનાર ડ્રાઈવર સામે ગુનો નોંધાયો

માળીયા હળવદ હાઇવે ઉપર વાધરવા ગામના પાટીયા પાસે પટેલ ટ્રાવેલ્સની વોલ્વો બસ પલટી મારી ગઈ હતી જેથી કરીને ૧૫ જેટલા મુસાફરોને ઈજા થઈ હતી આ બનાવ સંદર્ભે હાલમાં બસના ચાલક સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ વડોદરાથી કચ્છ તરફ જતી પટેલ ટ્રાવેલ્સની વોલ્વો બસ નં. એનએલ ૧ બી ૨૩૨૪ માળીયા હળવદ હાઇવે ઉપર આવેલ વાધરવા ગામ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે તે બસ પલટી મારી ગઈ હતી જેથી કરીને બસમાં બેઠેલા મુસાફરો પૈકીના ૧૫ જેટલા મુસાફરોને નાના મોટી ઈજા થઈ હોવાથી તે તમામ ઇજાગ્રસ્તોને જે તે સમયે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા અને તેમાંથી એક મહિલાને વધુ સારવાર માટે રાજકોટ પણ લઈ જવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે હાલમાં અમદાવાદના જુહાપુરા રોયલ અકબર બિલ્ડિંગમાં બ્લોક નંબર ડી ફ્લેટ ૩૦૨ ખાતે રહેતા મારૂફખાન ફતેખાન મલિક જાતે મુસ્લિમ (૫૭) એ બસના ચાલક વિપુલકુમાર રમણલાલ અકાલીયા રહે. અંબાજી માતાજીના મંદિર પાસે ધોળકા વાળાની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ દરિયાલાલ કાંટા પાસે રહેતા અનુબેન અનિલ ઠાકરે (૨૦) નામની મહિલાને પ્લાસ્ટિકના કારખાના પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને મારામારીના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ ગાયત્રી નગર-૨ માં રહેતા હવાબેન સિદ્દીકભાઈ જામ (૨૮) બાઈકમાં પાછળના ભાગે બેસીને મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી બાઈકમાં પાછળના ભાગમાં બેઠેલા હવાબેન જામને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને ગયા હતા અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News