ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ
Breaking news
Morbi Today

મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે છઠ્ઠા સમૂહલગ્નનું આયોજન


SHARE







મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે છઠ્ઠા સમૂહલગ્નનું આયોજન

મોરબી જીલ્લામાં આસ્થાના પ્રતીક સમા ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે ટ્રસ્ટીઓ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે નામ નોંધણી કરવામાં આવી રહી છે અને આગામી તા ૨૪/૨ ના રોજ સમૂહલગ્ન યોજાશે

મોરબીના નવલખી રોડ ઉપર રેલવે સ્ટેશન પાસે આવેલ ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા છઠ્ઠા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને આ લગ્નોત્સવ તા. ૨૪/૨ ના રોજ યોજાશે અને આ સમૂહલગ્નમાં માતા અથવા પિતા ગુમાવનાર દીકરીને પ્રથમ પસંદગી આપવામાં આવશે જેથી કરીને આ સમૂહલગ્નમાં જોડાવવા ઇચ્છતી કન્યાના વાલીઓએ તા ૩૦/૧ સુધીમાં ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ખાતે નામ નોંધણી કરાવી લેવા માટે અખબારી યાદીમાં જણાવ્યુ છે અને આ સમૂહલગ્નનો તમામ ખર્ચ મંદિર દ્વારા મંદિરની આવકમાંથી કરવામાં અઆવશે એટલે કોઈને પણ આ સમૂહલગ્નમાં દાન આપવું હોઈ કે દીકરીઓને કરીયાવરમાં ચીજવસ્તુ આપવી હોઈ તો ધક્કાવાળી મેલડી માતાજી મંદિરના સેવાભાવી આયોજકો ઘનુભા જાડેજા (૯૭૨૬૨ ૨૮૨૦૨), વિનુભાઈ ડાંગર (૯૮૨૫૯ ૧૩૬૧૫), શૈલેષભાઇ જાની (૯૫૭૪૫ ૩૬૫૦૫), રમેશભાઈ પટેલ (૮૩૨૦૨ ૬૧૭૬૬) પર સમૂહલગ્નમાં જોડાવવા કે દાન આપવા માટે સંપર્ક કરવા જણાવ્યુ છે

ઓબીસી સમાજ માટે સમુહલગ્નનું આયોજન

ગુજરાત ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા ઓબીસી સમાજમાં આવતા તમામ ગરીબ પરિવાર માટે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરેલ છે. તો આ સમૂહ લગ્નોત્સવમાં જોડાવવા ઇચ્છતા દીકરીના માતા-પિતા કે પરિવારજાનો ૮૭૩૨૯ ૧૮૧૮૩ ઉપર નામ નોંધાવવા માટે સંપર્ક કરવા ગુજરાત ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજાએ જણાવ્યુ છે






Latest News