મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે છઠ્ઠા સમૂહલગ્નનું આયોજન


SHARE











મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે છઠ્ઠા સમૂહલગ્નનું આયોજન

મોરબી જીલ્લામાં આસ્થાના પ્રતીક સમા ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે ટ્રસ્ટીઓ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે નામ નોંધણી કરવામાં આવી રહી છે અને આગામી તા ૨૪/૨ ના રોજ સમૂહલગ્ન યોજાશે

મોરબીના નવલખી રોડ ઉપર રેલવે સ્ટેશન પાસે આવેલ ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા છઠ્ઠા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને આ લગ્નોત્સવ તા. ૨૪/૨ ના રોજ યોજાશે અને આ સમૂહલગ્નમાં માતા અથવા પિતા ગુમાવનાર દીકરીને પ્રથમ પસંદગી આપવામાં આવશે જેથી કરીને આ સમૂહલગ્નમાં જોડાવવા ઇચ્છતી કન્યાના વાલીઓએ તા ૩૦/૧ સુધીમાં ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ખાતે નામ નોંધણી કરાવી લેવા માટે અખબારી યાદીમાં જણાવ્યુ છે અને આ સમૂહલગ્નનો તમામ ખર્ચ મંદિર દ્વારા મંદિરની આવકમાંથી કરવામાં અઆવશે એટલે કોઈને પણ આ સમૂહલગ્નમાં દાન આપવું હોઈ કે દીકરીઓને કરીયાવરમાં ચીજવસ્તુ આપવી હોઈ તો ધક્કાવાળી મેલડી માતાજી મંદિરના સેવાભાવી આયોજકો ઘનુભા જાડેજા (૯૭૨૬૨ ૨૮૨૦૨), વિનુભાઈ ડાંગર (૯૮૨૫૯ ૧૩૬૧૫), શૈલેષભાઇ જાની (૯૫૭૪૫ ૩૬૫૦૫), રમેશભાઈ પટેલ (૮૩૨૦૨ ૬૧૭૬૬) પર સમૂહલગ્નમાં જોડાવવા કે દાન આપવા માટે સંપર્ક કરવા જણાવ્યુ છે

ઓબીસી સમાજ માટે સમુહલગ્નનું આયોજન

ગુજરાત ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા ઓબીસી સમાજમાં આવતા તમામ ગરીબ પરિવાર માટે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરેલ છે. તો આ સમૂહ લગ્નોત્સવમાં જોડાવવા ઇચ્છતા દીકરીના માતા-પિતા કે પરિવારજાનો ૮૭૩૨૯ ૧૮૧૮૩ ઉપર નામ નોંધાવવા માટે સંપર્ક કરવા ગુજરાત ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજાએ જણાવ્યુ છે






Latest News