મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી સહિત ગુજરાતમાં લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખતા ઉમેદવારો હતાશ


SHARE











મોરબી સહિત ગુજરાતમાં લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખતા ઉમેદવારો હતાશ

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા જુનિયર કર્લકની પરીક્ષા લેવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતુ જો કે, અગાઉની જેમ આજે પણ વહેલી સવારમાં પેપર ફૂટયું હોવાનું સામે આવ્યું છે જેથી કરીને તાત્કાલિક અસરથી આ પરિક્ષાને સરકાર દ્વારા રદ કરવામાં આવી છે અને પેપર લીક કાંડમાં એક આરોપીને પકડવામાં આવેલ છે જો કે, ૯.૫૩ લાખથી વધુ વિદ્યાર્થીઓને જે યાતના ભોગવવી પડી તેનું શું તે સૌથી મોટો પ્રશ્ન છે

આજે સવારે ક્લાર્કની પરીક્ષાનું પેપર લીકના સમાચાર સામે આવતાની સાથે જ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના સભ્ય રાજિકા કચેરિયાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે, આજે વહેલી સવારે પેપર લીકની જાણ થઈ હતી. જેથી કરીને સરકારે ઉમેદવારોના ભાવિ સાથે ચેડા ન થાય તે માટે જુનિયર કલર્કની આજની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કરેલ છે અને આ પેપરલીક કાંડમાં ગુજરાત બહારની ટોળકીનો હાથ હોવાનું સામે આવ્યું છે. વધુમાં જણાવ્યુ હતું કે, આ ઘટનામાં સરકાર કોઈને છોડશે નહીં અને પરીક્ષા ફરીથી લેવામાં આવશે. એટલે હાલમાં પરીક્ષા મોકૂફ રાખવામા આવી છે અત્રે ઉલેખનીય છે કે, પરીક્ષાના પેપર સાથે હાલમાં પોલીસે એક શખ્સની ધરપકડ કરેલ છે અગાઉ બિનસચિવાલયની પરીક્ષા રદ્દ થઈ હતી તે વખતે પણ ગુજરાત બહારની ટોળકીએ પેપર ફોડ્યું હતું. આ પહેલીવાર નથી કે ગુજરાતમાં સરકારી પરીક્ષાઓનું પેપર લીક થયું હોય. આ પહેલાં બિનસચિવાલયની પરીક્ષાથી માંડીને નવ વખત સરકારી નોકરીઓ માટેની પરીક્ષાઓના પેપર ફૂટ્યાં છે. છતાં સરકારના પેટનું પાણી હાલતું નથી. અને જવાબદારો સામે હજુ સુધી કોઈ કડક અને નામુનેદાર કહી શકાય તેવા પગલાં લેવામાં આવેલ નથી જેથી કરીને આ સિલસિલો ચાલુ છે રહેવાનો છે આજની પરીક્ષા ૯.૫૩ લાખથી વધુ ઉમેદવારો આપવાના હતા. અને મોટા ભાગના ઉમેદવારો પરીક્ષા સેંટરે પહોચી ગયા પછી તેને પરીક્ષા રદ્દની જાણ થઈ હતી જેથી ઉમેદવારો હતાશ થઈ ગયા હતા અને સરકારની નીતિરીતિ સામે ઘણા સવાલો ઉઠ્યા હતા






Latest News