મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો
Breaking news
Morbi Today

બિલ્ડરો સાવધાન : મોરબીમાં પેમેન્ટ લઈને પઝેશન ન સોંપતા બિલ્ડર વિરુદ્ધ કાર્યવાહી


SHARE







બિલ્ડરો સાવધાન : મોરબીમાં પેમેન્ટ લઈને પઝેશન ન સોંપતા બિલ્ડર વિરુદ્ધ કાર્યવાહી

મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા લુણસરના વતની ધીરજલાલ વરમોરાએ રાજેશભાઇ શનીયારા સામે તેમના બનાવેલ એપાર્ટમેન્ટ બ્લોક નં.-૭૦૧ નો કબજો નહીં સોંપતા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા ફરિયાદ દાખલ કરાવેલ તેમાં કોર્ટે રાજેશભાઇ શનારીયાને ત્રીસ લાખ રૂપિયા તા.૧૯-૩-૨૨ થી છ ટકાના વ્યાજ અને ત્રણ હજાર ખર્ચ ધીરજલાલ વરમોરાને ચુકવવાનો હુકમ કરેલ છે.

મોરબીમાં આજકાલ સોસાયટી બનાવતી વખતે બુકીંગના નામે રૂપિયા લેવામાં આવે છે.પછી ધીરે ધીરે ચણતર પ્રમાણે રૂપિયા લેવામાં આવે છે અને મકાન બની ગયા પછી ઉંચી કિંમત આવતા બીજે વહેંચી નાખે છે અને વધારે કિંમત લઇ લે છે તેવું જાણવા મળેલ છે.આવો જ કીસ્સો લુણસર ગામના વતની ધીરજલાલ વરમોરા સાથે બનેલ જેમા મયુરપાર્ક રવાપર રોડ ઉપર રહેતા રાજેશભાઇ થોભણભાઇ શનીયારા પાસે નવા બનતા મકાનમાં અમુક રકમ આપીને બ્લોક નં.-૭૦૧ બુક કરાવેલ અને ગ્રાહકને જણાવેલ સમય પ્રમાણે પજેશન નહીં આપતા મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા ગ્રાહક કોર્ટમાં ફરીયાદ દાખલ કરતા ગ્રાહક અદાલતે રાજેશભાઇ શનિયારાને રૂપિયા ત્રીસ લાખ છ ટકાના વ્યાજ સાથે તા.૧૯-૩-૨૨ થી ચુકવવાના અને રૂપિયા ત્રણ હજાર ધીરૂભાઇ વરમોરાને ચુકવવાનો આદેશ આપેલ છે. ગ્રાહકે લાગણીને સબંધમાં આવી નવા બનતા મકાનના રૂપિયા આપે છે પાછળથી પ્રશ્નો બને છે.કોઇપણ ગ્રાહકે પૈસાની લેતીદેતી ચેક દ્વારા કરવી જોઇએ અને નવી બનતી સોસાયટીની સુવિધા માટેની યાદી પણ જોવી જોઇએ ગ્રાહકે પોતાના હકક-હિત માટે લડત કરવી જોઇએ કોઇપણ ગ્રાહકને અન્યાય થાય તો પ્રમુખ લાલજીભાઇ મહેતા (ફોન નં.૯૮૨૫૭ ૯૦૪૧૨) નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવાયેલ છે.






Latest News