મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં આ રવિ સિઝનમાં અંદાજીત ૧.૪ લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર કરાયું


SHARE











મોરબી જિલ્લામાં આ રવિ સિઝનમાં અંદાજીત ૧.૪ લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર કરાયું

તુવેર, ચણા તથા રાયડાની સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરાશે.જિલ્લા ખેતીવાડી કચેરીની માહિતી અનુસાર આ વર્ષે મોરબી જિલ્લામાં ૧,૩૯,૮૭૫ હેકટર વિસ્તારમાં રવિ પાકનું વાવેતર થયું છે.જિલ્લામાં વાવેલા રવિ પાકની વિગતે વાત કરીએ તો, હળવદમાં ૧૧૮૫૦, માળીયામાં ૧૬૨૦, મોરબીમાં ૫૩૦૦, ટંકારામાં ૪૬૫૦ અને વાંકાનેરમાં ૩૫૩૨ મળી કુલ ૨૬૯૫૨ જેટલા હેકટરમાં જીરું વાવવામાં આવ્યું છે. ધાણાની વાત કરીએ તો, હળવદમાં ૬૭૧૫, માળીયામાં ૩૨૦, મોરબીમાં ૬૦, ટંકારામાં ૪૫૦ અને વાંકાનેરમાં ૧૫૦ મળી કુલ ૭૬૯૫ હેકટરમાં વાવેતર થયું છે. તો, વરિયાળીનું હળવદમાં ૪૩૦૫, માળીયામાં ૬૦, ટંકારામાં ૮૦, વાંકાનેરમાં ૨૫૦ મળી કુલ ૪૬૯૫ હેકટરમાં વાવેતર થયું છે. હળવદમાં ૫૪૭૦ માળિયામાં ૨૪૫૦, મોરબીમાં ૨૧૧૦, ટંકારામાં ૧૧૫૦૦ અને વાંકાનેરમાં ૫૪૦ મળી કુલ ૨૭૪૭૦ હેકટરમાં ચણાનું વાવેતર થયું છે. હળવદમાં ૧૬૯૧૦, માળીયામાં ૧૪૫૫, મોરબીમાં ૯૨૫૦, ટંકારામાં ૯૨૧૦ અને વાંકાનેરમાં ૭૫૦૦ મળીને કુલ ૪૪૩૨૫ હેકટરમાં ઘઉંનું વાવેતર થયું છે. આ ઉપરાંત જિલ્લામાં ડુંગળીનું ૨૧૪૦ હેકટર, શાકભાજીનું ૧૯૭૫ હેકટર, ઘાસચારાનું ૧૩૧૩૦ હેકટરમાં વાવેતર થયું છે.

સરકાર દ્વારા ખેડૂતોને તેમના પેદાશના પૂરતા ભાવ મળે અને વાવેતર વધે તેવા અનેક ખેડૂત કલ્યાણની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેના અનુસંધને મોરબી જિલ્લામાં તુવેર, ચણા અને રાયડાનું ટેકાના ભાવે વેચાણ માટે ૧લી ફેબ્રુઆરીથી જિસ્ટ્રેશન શરૂ થશે. નાફ્રેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવશે. દરેક ગામોમાં વીસીઇ અને મંડળી મારફત ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી શકશે. જે અન્વયે રૂ.૧૦૬૭ના ભાવે ચણા, રૂ.૧૩૨૦ના ભાવે તુવેર અને રૂ.૧૦૯૦ના ભાવે રાયડો ટેકાના ભાવે ખરીદવામાં આવશે. ૨૮ ફેબ્રુઆરી સુધી આ રજિસ્ટ્રેશન કરવી શકાશે તેવું જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણની યાદીમાં જણાવાયું છે.





Latest News