હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીના ધરમપુર-ટીંબડી પાસેથી ઓવરલોડ ખનીજ ભરીને જતાં વાહનોને ગ્રામજનોએ રોક્યા: તંત્ર મૌન !


SHARE







મોરબીના ધરમપુર-ટીંબડી પાસેથી ઓવરલોડ ખનીજ ભરીને જતાં વાહનોને ગ્રામજનોએ રોક્યા: તંત્ર મૌન !

મોરબીના ધરમપુર અને ટીંબડી આસપાસના વિસ્તારમાં ખાણખનીજ વિભાગની મીઠી નજર હેઠળ બેફામ ખનીજ ચોરી કરવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને ધરમપુર તેમજ ટીંબડી ગામ પાસેથી ઓવરલોડ ખનીજ ભરેલા ડમ્પરો પસાર થતાં હોય છે અને તેમાંથી પથ્થર નીચે પડતાં હોય છે જે ઘણી વખત બાઇક ચાલક કે પછી અન્ય લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે જેથી ગ્રામજનોમાં ભારે રોષની લાગણી હતી અને ગામ પાસે ડમ્પરોને રોકીને ગામના લોકોએ વિરોધ કર્યો હતો અને ગામના સરપંચને જાણ કરાતા થોડીવાર માટે મામલો બિચક્યો હતો જો કે, ડમ્પર ચાલકોએ ઢોળાયેલા પથ્થરો દુર કરી દેવાતાની તેમજ હવે ઓવરલોડ ખનીજ નહીં ભરવાની ખાતરી આપી હતી જેથી કરીને મામલો થાળે પડ્યો હતો જો કે, સવાલ એ ઉભો થાય છે કે, ગામના લોકો વિરોધ કરે તો પણ ડમ્પર ચાલકો સીધા થઈ જાય છે તો તંત્ર વાહકો કેમ મૌન રાખીને બેઠા છે તે સૌથી મોટો સવાલ છે






Latest News