મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબીના ધરમપુર-ટીંબડી પાસેથી ઓવરલોડ ખનીજ ભરીને જતાં વાહનોને ગ્રામજનોએ રોક્યા: તંત્ર મૌન !


SHARE











મોરબીના ધરમપુર-ટીંબડી પાસેથી ઓવરલોડ ખનીજ ભરીને જતાં વાહનોને ગ્રામજનોએ રોક્યા: તંત્ર મૌન !

મોરબીના ધરમપુર અને ટીંબડી આસપાસના વિસ્તારમાં ખાણખનીજ વિભાગની મીઠી નજર હેઠળ બેફામ ખનીજ ચોરી કરવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને ધરમપુર તેમજ ટીંબડી ગામ પાસેથી ઓવરલોડ ખનીજ ભરેલા ડમ્પરો પસાર થતાં હોય છે અને તેમાંથી પથ્થર નીચે પડતાં હોય છે જે ઘણી વખત બાઇક ચાલક કે પછી અન્ય લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે જેથી ગ્રામજનોમાં ભારે રોષની લાગણી હતી અને ગામ પાસે ડમ્પરોને રોકીને ગામના લોકોએ વિરોધ કર્યો હતો અને ગામના સરપંચને જાણ કરાતા થોડીવાર માટે મામલો બિચક્યો હતો જો કે, ડમ્પર ચાલકોએ ઢોળાયેલા પથ્થરો દુર કરી દેવાતાની તેમજ હવે ઓવરલોડ ખનીજ નહીં ભરવાની ખાતરી આપી હતી જેથી કરીને મામલો થાળે પડ્યો હતો જો કે, સવાલ એ ઉભો થાય છે કે, ગામના લોકો વિરોધ કરે તો પણ ડમ્પર ચાલકો સીધા થઈ જાય છે તો તંત્ર વાહકો કેમ મૌન રાખીને બેઠા છે તે સૌથી મોટો સવાલ છે






Latest News