હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીના વનાળીયા-ગોર ખીજડીયા ગામના વિદ્યાર્થીઓને એસટી માટે થતી હાલાકીનું જાત નિરીક્ષણ કરતા ધારાસભ્ય


SHARE







મોરબીના વનાળીયા-ગોર ખીજડીયા ગામના વિદ્યાર્થીઓને એસટી માટે થતી હાલાકીનું જાત નિરીક્ષણ કરતા ધારાસભ્ય

મોરબીના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓ વહેલી સવારે એસટી બસ મારફતે શાળા કોલેજમાં અભ્યાસ કરવા માટે આવતા હોય છે જોકે ઘણી વખત એસટીની બસ સમયસર આવતી ન હોવાથી અથવા તો વહેલી સવારના રૂટ કેન્સલ કરવાના કારણે વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે આવી જ રીતે મોરબી તાલુકાના વનાળીયા અને ગોર ખીજડીયા ગામથી જે વિદ્યાર્થીઓ મોરબીની શાળા કે કોલેજમાં અભ્યાસ કરવા માટે આવતા હોય છે તેના માટે વહેલી સવારે જે બસ ચાલુ હતી તેને એસટી વિભાગ દ્વારા બંધ કરી નાખવામાં આવી હતી જેથી કરીને આ બસને તાત્કાલિક શરૂ કરવા માટે થઈને ગોર ખીજડીયા ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયા દ્વારા એસટી વિભાગના જવાબદાર અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ એસટી બસને શરૂ કરવામાં આવી ન હતી દરમિયાન ટંકારા પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા કે જેમના મતવિસ્તારમાં વનાળીયા અને ગોર ખીજડીયા ગામનો સમાવેશ થાય છે તેઓ વિદ્યાર્થીઓને વહેલી સવારે એસટી બસ મેળવવા માટે પડતી મુશ્કેલીનું જાત નિરીક્ષણ કરવા માટે થઈને ગોર ખીજડીયા ગામે પહોંચ્યા હતા ત્યારે ગોર ખીજડીયા ગામના સરપંચ અને વિદ્યાર્થીઓ સહિતના લોકો ત્યાં હાજર રહ્યા હતા અને એસટી બસ માટે પડતી હાલાકી અંગે ધારાસભ્યને રૂબરૂ ચર્ચા કરી હતી ત્યારબાદ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા ગોર ખીજડીયા અને વનાળીયા ગામના વિદ્યાર્થીઓને એસ.ટી.ની બસ માટે થઈને પડતી હાલાકી દૂર કરવા માટે એસટી વિભાગના જવાબદાર અધિકારીને સુચના આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.






Latest News