મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

કાંતિભાઈ હૈ તો મુમકીન હૈ : મોરબીના બે વેપારી યુવાનને યુપીમાં અપહરણકારોના ચંગુલમાંથી અડધા કલાકમાં છોડાવ્યા


SHARE













કાંતિભાઈ હૈ તો મુમકીન હૈ : મોરબીના બે વેપારી યુવાનને યુપીમાં અપહરણકારોના ચંગુલમાંથી અડધા કલાકમાં છોડાવ્યા


મોરબીથી ઘણા વેપારીઓ બહાર ગામ માલની ખરીદી અને વેપાર માટે જતાં હોય છે આવી જ રીતે મોરબીથી બે વેપારી યુવાન સ્ક્રેપ જોવા માટે યુપી ગયા હતા. અને ત્યાં તે બંનેનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું જેથી તેની જાણ મોરબી માળીયાના દબંગ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને થઈ હતી જેથી કરીને કાંતિભાઈ અમૃતિયાએ યુપીના રાજ્યપાલ સુધી આ વાતને પહોચાડી હતી અને માત્ર અડધા જ કલાકમાં બંને યુવાનને આરોપીઓના ચંગુલમાંથી મુક્ત કરાવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં રહેતા હિતેશભાઈ બાબુભાઇ રામાવત અને તેના પિતરાઈ ભાઈ અતુલભાઈ રામાવત મોરબીથી યુપી સ્ક્રેપનો માલ જોવા માટે ગયા હતા ત્યારે જે જગ્યાએ માલ જોવા માટે જવાનું હતું તેના બે માણસો ગાડી લઈને આ બંને યુવાનને લેવા માટે આવ્યા હતા તે બંને શખ્સોએ પોતાની ઓળખ મેનેજર અને ડ્રાઇવર તરીકે આપી હતી ત્યાર બાદ મોરબીના બંને યુવાનોને કારમાં બેસાડીને ગોડાઉને લઈને જતાં હતા જો કે, પહેલા રસ્તામાં તેના શેઠનું ફાર્મ હાઉસ આવી ગયું હતું ત્યાં રોકાયા હતા ત્યારે અન્ય પાંચ શખ્સો ત્યાં આવ્યા હતા અને મોરબીના બંને વેપારી યુવાનને બંધક બનાવ્યા હતા.

ત્યાર પછી બંને વેપારી યુવાન પાસેથી પાકીટ અને મોબાઈલ લઈ લેવામાં આવેલ અને તેની પાસે રહેલા ૨.૫ લાખ રૂપિયા, સોનાનો ચેઇન, સોનાનું પેન્ડલ પડાવી લીધું હતું તેમજ એટીએમમાંથી ત્રણ વખય કુલ મળીને ૩૫૫૦૦ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું જો કે, આ બન્ને યુવાનોને ઘરેથી ફોન આવે તો તેનું અપહરણ થયું છે તેવી જાણ ન થાય તે રીતે તે વાત કરવા દેતા હતા અને ફોન પૂરો થઈ જાય પછી તેને માર મારતા હતા જો કે, એક યુવાનને તેના ભાઈને કરેલ ફોનમાં મોરબી તેના ભાઈને તેની સાથે અજુગતું થયું હોવાની હા પડી હતી જેથી અપહરણકારોએ તેનો ફોન તૂતજ કટ કરી નાખ્યો હતો.

જો કે, આ અંગેની મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ સુધી પહોચી હતી અને તેને તાત્કાલિક યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે ફોન ઉપર વાત કરી હતી અને ત્યાર બાદ ત્યાંના આઇજી સાથે પણ વાત કરી હતી જેથી સ્થાનિક પોલીસ હરકતમાં આવી હતી જેથી અપહરણ કરનારા શખ્સોને પકડાઈ જવાનો ડર લાગ્યો હતો જેથી કરીને તે શખ્સો બન્ને યુવાનોને કારમાંથી નીચે ઉતારીને ભાગી ગયા હતા આમ કાંતિલાલ હૈ તો મુમકિન હૈ ની જેમ અહી બેઠા બેઠા યુપીમાં ફસાયેલ મોરબીના બે યુવાનોને અપહરણકરો પાસેથી મુક્ત કરાવેલ છે.






Latest News