મોરબીની ક્રિષ્ના હોસ્પિટલના ડોક્ટરોએ હૃદય બંધ થઈ ગયેલા પેશન્ટને આપ્યું નવજીવન
SHARE
મોરબીમાં કોઈ ઇમરજન્સી સારવાર ની જરૂર પડે તો લોકો ક્રિષ્ના હોસ્પિટલ ને યાદ કરે છે. જેમાં ડોક્ટર પોતાની અથાક મહેનત અને સુજબુજ થી લોકો માં જીવ બચાવવા મહેનત કરતા હોય છે જે અમુક પેશન્ટ અને તેના પરિવાર માટે આવા ડોક્ટર ભગવાન જેવા સાબિત થાય છે.
આવો જ એક બનાવ ગત તારીખ 31 ના રોજ બનેલ હતો. માળીયા મીયાણા ના એક પેશન્ટ જાની જીતેન્દ્રભાઈ નારાયણભાઈ ને હાર્ટ એટેક આવેલ હતો જેમનું હદય હોસ્પિટલ પહોંચતા પહેલા જ બંધ થઈ ગયેલ હતું છતાં પણ ડૉ. અને એમની ટીમ દ્વારા અડધી રાતે એમને તાત્કાલિક સારવાર આપી 11 ઇલેક્ટ્રિક કરંટ આપી હર્દય ફરી ધબકતું થયું હતું અને ત્યાર બાદ 8 દિવસ વેન્ટિલેટર પર રાખ્યા બાદ પણ ડૉ. સંદીપ ચાવડા અને ભૌમિક સરડવા દ્વારા પેશન્ટ ને ઉત્તમ સારવાર આપી પેશન્ટ ને નવજીવન આપેલ છે. હર્દય બંધ થયેલ પેશન્ટ નો જીવ બચાવવો ડોક્ટર માટે ખૂબ જ પડકાર જનક હોય છે છતાં પણ ડૉ. સંદીપ ચાવડા અને ડૉ. ભૌમિક સરડવા ની મહેનત થી જાની જીતેન્દ્રભાઈ ને માત્ર 9 દિવસ માં જ પોતાના પગ ઉપર ચાલી ને હોસ્પિટલ થી છુટ્ટી આપેલ છે.
મેડિકલ ફિલ્ડ માં અનેક વાર નાજુક પેશન્ટ ની સારવાર બાદ પણ ડેથ થતી હોય છે એવા સમયે પરિવાર ના લોકો ડોક્ટર પર આરોપ લગાવતા હોય છે પરંતુ હકીકત એજ છે કે ડોક્ટર માત્ર ને માત્ર પેશન્ટ નો જીવ બચાવવા પોતાનો પૂરતો પ્રયત્ન કરતા હોય છે જે ડૉ.સંદીપ ચાવડા અને ભૌમિક સરડવા તેમજ ક્રિષ્ના હોસ્પિટલ માં સ્ટાફ ની ટીમ સાબિત કરે છે









