હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત ૧૨ માં સમુહલગ્ન સંપન્ન


SHARE







મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત ૧૨ માં સમુહલગ્ન સંપન્ન

મોરબીમાં મહેન્દ્રનગર પાસે આવેલ રામધન આશ્રમ ખાતે મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા ૧૨માં સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સમૂહલગ્નમાં ફક્ત દશનામ ગોસ્વામી સમાજના લોકો પાસેથી જ આર્થિક  સહયોગ લેવામાં આવે છે અને કન્યાઓને કરીયાવરમાં સોના ચાંદી આભૂષણો સહિત ૮૦ ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવી હતી આ સમૂહલગ્નમાં ૧૦ યુગલોએ સંતો મહંતો અને આગેવાનોના આશીર્વાદ સાથે લગ્નગ્રંથીએ જોડાઆઇને પ્રભુતામાં ડગ માંડ્યા છે આ સમય મોંધવારીમાં વધુને વધુ પરિવાર સમૂહલગ્નમાં જોડાઇ તેવી લાગણી આયોજકો અને આગેવાનોએ વ્યકત કરી હતી આ તકે મોરબીના પત્રકાર એસો.ના પ્રમુખ હિમાંશુભાઈ ભટ્ટ તેમજ સુરેશભાઈ ગોસ્વામી, અલ્પેશભાઈ ગોસ્વામી, અશોકભાઇ ખરચરીયા સહિતના પત્રકારનુ મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને આ સમૂહલગ્નને સફળ બનાવવા પ્રવિણભારતી ચંદ્રકાન્તભારતી, ડો. જયદીપપુરી, અરવિંદવન, પ્રવીણગીરી, રાજેશપુરી,સહિત કાર્યકરો ભારે જહેમત ઉઠાવી હતી.






Latest News