મોરબીના લાયન્સ નગરમાં ગળાફાંસો ખાઈને યુવાને જીવન ટૂંકાવ્યું
SHARE
મોરબીના લાયન્સ નગરમાં ગળાફાંસો ખાઈને યુવાને જીવન ટૂંકાવ્યું
મોરબીના શનાળા બાયપાસ રોડ પાસે આવેલ લાયન્સ નગર શેરી નં-૨ માં રામદેવપીરના મંદિર પાસે રહેતા યુવાને કોઈ કારણોસર પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા પરંતુ ત્યાંના ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ભક્તિનગર સર્કલ પાસે બાયપાસ રોડ નજીક આવેલ લાયન્સ નગર શેરી નં-૨ માં રામદેવપીરના મંદિર પાસે રહેતા કમલેશભાઈ મોહનભાઈ પરમાર (૪૩) નામના યુવાને પોતાના ઘરની અંદર કોઈ કારણોસર ગળાફસો ખાઈ લીધો હતો જેથી તેને તાત્કાલિક ઇકો ગાડી મારફતે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાર બાદ સરકારી હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી યુવાને ક્યાં કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે









