ટંકારાના એટ્રોસિટી-મારામારીના કેસમાં બંને આરોપીઓ જામીન મુક્ત
SHARE
ટંકારાના એટ્રોસિટી-મારામારીના કેસમાં બંને આરોપીઓ જામીન મુક્ત
ટંકારામાં ફરિયાદી પાછી ખેંચી લેવા ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ જાતી પ્રત્યે અપમાનિત કરવામાં આવેલ જેથી કરીને ટંકારમાં ફરિયાદ નોંધાઈ હતી જેથી આરોપી હરપાલસિંહ ઉર્ફે ભૂરો વિનુભા ઝાલા અને ક્રિપાલસિંહ હેમંતસિંહ ઝાલાની ધરપકડ કરી હતી અને આરોપીઓ સામે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો જે કેસ એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં ચાલી જતાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને બંને આરોપીને જમીન મુક્ત કરેલ છે
આ કેસમાં બચાવ પક્ષના વકીલ દિલીપભાઈ અગેચણીયાએ એવી દલીલ કરી હતી કે, ફરિયાદી પક્ષે ફરિયાદી, સાહેદો તથા પંચો તેમજ તપાસ કરનાર અધિકારીની જુબાની લેવામાં આવી હતી તમામ પુરાવાના અંતે આરોપી તરફેના વકીલે દલીલો કરી હતી જેમાં ફરિયાદ પક્ષે ફરિયાદ મુજબની હકીકત જણાવેલ નથી તેમજ ફરિયાદીના સાહેદોએ ફરિયાદીને સમર્થનકારી જુબાની આપેલ નથી તેમજ ઈજા પામનારના સગાઓ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખિક પુરાવામાં ફરિયાદ પક્ષના કેસને કે તેમના નિવેદનને સમર્થન આપેલ નથી આમ બંને પક્ષકારોની દલીલોને ધ્યાને લઈને બચાવ પક્ષના વકીલ દિલીપભાઈ અગેચણીયાની દલીલોને માન્ય રાખી કોર્ટે આરોપીઑને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે દિલીપભાઈ અગેચણીયા ઉપરાંત જીતેન ડી. અગેચણીયા, મોનીકાબેન ગોલતર, હિતેશ પરમાર, રવિ ચાવડા, કુલદીપ જીજવાડીયા રોકાયેલ હતા