મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં અજાણ્યા શખ્સની પાછળ દોડવા જતા બીજા માળેથી પડી જતા યુવાન સારવારમાં


SHARE













મોરબીમાં અજાણ્યા શખ્સની પાછળ દોડવા જતા બીજા માળેથી પડી જતા યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર અજાણ્યા વ્યક્તિને પકડવા જતા મકાનના બીજા માળેથી નીચે પડી ગયેલ યુવાનને સારવારમાં ખસેડાયો હતો.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠે આવેલ વેજીટેબલ રોડ ઉપરના લાભનગર વિસ્તારમાં રહેતો સુરેન્દ્રસિંગ જગમોહનસિંઘ ચૌહાણ નામનો ૩૩ વર્ષનો યુવાન અજાણ્યા વ્યક્તિને પકડવા જતા સમયે મકાનના બીજા માળેથી નીચે પડી ગયો હતો જેથી કરીને તેને ઇજાઓ પહોંચતા સારવાર માટે શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે ખસેડાયો હતો.ત્યાંથી પોલીસને જાણ કરવામાં આવતા હાલ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે, મોડી રાત્રીના અજાણ્યો વ્યક્તિ છત ઉપર આવ્યો હોવાની શંકાએ સુરેન્દ્રસિંગ છત ઉપર ગયો હતો દરમિયાનમાં તે મકાનના બીજા માળેથી નીચે પડી જતા ઇજાઓ થવાથી સારવારમાં ખસેડાયો હતો.

મહિલા-આધેડ સારવારમાં

મોરબીના શાકમાર્કેટ નજીક આવેલ સિપાઇવાસ વિસ્તારની રહેવાસી શાહીનાબેન ઉર્વેઝભાઈ મીરા નામની ૪૧ વર્ષીય મહિલા પોતાના ઘરેથી પોતાના સંબંધીને ત્યાં જતી હતી ત્યારે રસ્તામાં સિપાઈવાસ નજીક આવેલા કુંધાણી નોવેલ્ટી નજીક તેનું વાહન સ્લીપ થઈ જતા ઇજાઓ પામતા શાહીનાબેનને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા અને બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરાતા વિપુલભાઈ ફુલતરીયા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે હળવદ તાલુકાના રણમલપુર ગામના વતની દિનેશભાઈ ગોરધનભાઈ પટેલ નામના ૫૫ વર્ષના આધેડને ધણાદ અને રણમલપુર વચ્ચેથી જતા હતા ત્યારે નદીના નાળા પાસે તેઓનું બાઈક અકસ્માતે પલ્ટી મારી જતા ઇજાઓ પામતા દિનેશભાઈ પટેલને પણ સારવાર માટે અહીંની શિવમ હોસ્પિટલે ખસેડાયા હતા હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવેલી હોય બી ડિવિઝન પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News