હળવદ નજીક કેનાલમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા પુરૂષની ઓળખ મેળવવા તજવીજ
મોરબીના ગોકુલનગરમાં ફ્લોર મિલમાંથી સરકારી ઘઉં-ચોખનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો: ૩.૪૨ લાખનો મુદામાલ સીઝ
SHARE
મોરબીના ગોકુલનગરમાં ફ્લોર મિલમાંથી સરકારી ઘઉં-ચોખનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો: ૩.૪૨ લાખનો મુદામાલ સીઝ
મોરબીના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે આવેલ ગોકુલનગરમાં આવેલ ફ્લોર મિલમાં પોલીસે રેડ કરી હતી ત્યારે ઘઉં અને ચોખાની ગુણી ઉપર પંજાબ લખેલ છેજેથી પોલીસે ઘઉં તેમજ ચોખા અને બોલેરો ગાડી મળીને પોલીસે કુલ ૩,૪૨,૧૬૦ નો મુદામાલ કબ્જે કરેલ છે અને આ અંગેની મોરબી પુરવઠા વિભાગને જાણ કરીને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી એલસીબીની ટીમના ભરતભાઇ જીલરિય, ચંદુભાઈ કલોતરા અને દશરથસિંહ પરમારને મળેલ બાતમી આધરે મોરબીના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે ગોકુલનગરમાં આવેલ ગીતા ફ્લોર મિલમાં એલસીબીની ટીમે રેડ કરી હતી ત્યારે ફ્લોર મિલના માલિક રણજીતભાઈ અરજણભાઈ વિકાણીની દુકાનમાંથી ઘઉં અને ચોખાની ગુણીઓ મળી આવી હતી અને તેના ઉપર પંજાબ લખેલ હતુ જેથી પોલીસે ૧૧૨ ગુણી ઘઉં અને ૯૮ ગુણી ચોખા મળી આવ્યા હતા જેથી ૮૧,૨૬૦ ના ઘઉં અને ૬૦,૯૦૦ ના ચોખ તેમજ બે લાખની કિંમતની બોલેરો જીજે ૦૩ એએક્સ ૮૯૭૩ આમ કુલ મળીને ૩,૪૨,૧૬૦ નો મુદામાલ કબજે કરેલ છે અને હાલમાં પોલીસે ૪૧ (૧) ડી મુજબ મળને જપ્ત કરીને આ જથ્થો સરકારી અનાજનો હોવાનું દેખાતું હોવાથી મોરબીના પુરવઠા વિભાગને પોલીસે જાણ કરી છે જેથી કરીને મોરબી સીટી મામલતદાર એચ.એમ. સાચલા અને નાયબ મામલતદાર સહિતની ટીમે ત્યાં પહોચી હતી અને જથ્થો સીઝ કરીને આગળની કાર્યવાહી કરેલ છે









