હળવદ નજીક કેનાલમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા પુરૂષની ઓળખ મેળવવા તજવીજ
SHARE
હળવદ નજીક કેનાલમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા પુરૂષની ઓળખ મેળવવા તજવીજ
હળવદ પોલીસ સ્ટેશનની હદમાંથી એક અજાણ્યો ૨૫થી ૩૦ વર્ષનો પુરૂષ કંસારી હનુમાનજીના મંદીર પાસે, નર્મદા કેનાલના નાળા સાઇફનમાં આશરે ત્રણ ચાર દિવસ પહેલા નર્મદા કેનાલના પાણીમાં ડુબી જવાને કારણે મરણ ગયેલ હાલતમાં મળી આવી હતી અને મધ્યમ બાંધો, આશરે ૫ ફુટ ઉંચાઇ, ચહેરો ફુલી ગયેલ છે, માથાના વાળ કાળા ટુંકા છે, શરીરે કથ્થઇ કલરનું જેકેટ તથા કાળા કલરનો શર્ટ તથા આસમાની તથા લાલ પટ્ટા વાળુ ટીશર્ટ તથા સફેદ કલરનું પેન્ટ પહેરેલ છે
આ મરણ જનાર અજાણ્યા પુરુષ નર્મદા કેનાલના પાણીમાં ડુબી જવાના કારણે મરણ ગયેલ હોય આ અજાણ્યા પુરૂષની લાશ કોની છે તેની હજુ સુધી ઓળખ થયેલ ન હોય જેથી મરણ જનારના લાશની ઓળખ કરવા તેઓના વાલીવારસ કે કોઈ જાણતું હોય તો હળવદ પો.સ્ટ.ના ઇ-મેઇલ નં. Polstn-hal-mor@gujarat.gov.in પર અથવા હળવદ પો.સ્ટે. ટેલીફોન નં-૦૨૭૫૮ ૨૬૧૨૫૧ ઉપર સંપર્ક કરવા હળવદ પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ્પેકટરની યાદીમાં જણાવાયું છે.









