મોરબીમાંથી ગુમ થયેલ મહિલાની શોધખોળ શરૂ મોરબી રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અન્વયે જિલ્લામાં અનાજ સંગ્રહ માટે ગોડાઉન ભાડે રાખવા અરજીઓ મંગાવાઈ મોરબીમાં પત્નીને લગ્નેતર પ્રેમસબંધ હોય યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરવા મામલે નોંધાયેલ ગુનામાં મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબીમાં ચાર્જમાં રહેલ સસ્તા અનાજની દુકાનો બાબતે જાહેરનામુ બહાર પાડો: પી.પી.જોષી ઓપરેશન ડેલ્ટા હન્ટની અસર: મોરબી જિલ્લામાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ મોરબીમાં યુવાનની 12 મી વખત રક્તદાન કરીને જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી મોરબી : જાણીતા યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરાને ઓથર ઇન્કવેલ એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી જિલ્લામાં ઉંદર પકડવાની જાળના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

મોરબીમાં આઇજી-ધારાસભ્યોની હાજરીમાં લોનમેલાના ૧૨૩ અરજદારોને ચેકનું વિતરણ કરાયા


SHARE











મોરબીમાં આઇજી-ધારાસભ્યોની હાજરીમાં લોનમેલાના ૧૨૩ અરજદારોને ચેકનું વિતરણ કરાયા

મોરબી જિલ્લામાં વ્યાજખોરીના દૂષણને ડામવા માટે પોલીસ ઝુંબેશ શરૂ કરી હતી તેની સાથોસાથ લોકોને બેંકમાંથી લોન મળે તેના માટે અગાઉ લોનમેલાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અરજી કરનારા અરજદારોમાંથી ૧૨૩ લોકોને આઇજી અને ધારાસભ્યોની હાજરીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બૅંક લોન મંજૂરીપત્ર તેમજ ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું

મોરબીમાં રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ દુર્લભજીભાઈ દેથરિયાની હાજરીમાં લોનમેલાના લાભાર્થી અરજદારોને ચેક આપવા માટે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં જુદીજુદી બેંકની જુદીજુદી યોજના અંતર્ગત લોન આપવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને એક કે બે નહીં પરંતુ ૧૨૩ લોકોને લોન મંજૂર કરવામાં આવી છે જેથી કરીને અધિકારી અને પદાધિકારીના હસ્તે તેને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું

આ તકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરિયા, રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, એસપી રાહુલ ત્રિપાઠી, પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, અધિક કલેકટર એન.કે. મુછાર, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, જિલ્લા ભાજપ મહામંત્રી જયુંભા જાડેજા, શહેર ભાજપના મહામંત્રી ભાવેશભાઈ કંઝરિયા સહિતના લોકો હાજર રહ્યા હતા ત્યારે એસપી રાહુલ ત્રિપાઠીએ ટૂંકમાં એટલું જ કહ્યું હતું કે મોરબી જીલ્લામાં હજુ વ્યાજખોરો સામેની ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ જ રાખવામા આવશે

તો ધારાસભ્ય અમૃતિયાએ કહ્યું હતું કે, વ્યાજખોરો સામે સારી કામગીરી કરી છે આવી જ કામગીરી ટ્રાફિક સમસ્યાને ઉકેલવા માટે કરવામાં આવે તેવી ટકોર કરી હતી સાથોસાથ પોલીસની લોનમેળાની કામગીરીને બિરદાવી હતી અંતમાં રેન્જ આઈજી અશોકકુમાર યાદવે જણાવ્યું હતું કે, લોનમેલામાં લોકોને લોન મંજૂરીના પત્રો આપવામાં આવ્યા છે તેના માટે બેંકમાં જે રીતે લોન મજૂર કરવામાં માટે ટકાવારી લેવામાં આવે છે તેવી રીતે એકપણ રૂપિયો કોઇની પાસેથી લેવામાં આવેલ નથી અને જેથી જેને પણ લોન આપવામાં આવી છે તે લોકો સમયસર હપ્તા ભરે તે તેઓની જવાબદારી છે 






Latest News