ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં બેન-બનેવી સાથેના મિલકતના ઝઘડાનું લાગી આવતા એસીડ પી ગયેલ મહિલા સારવારમાં


SHARE













મોરબીમાં બેન-બનેવી સાથેના મિલકતના ઝઘડાનું લાગી આવતા એસીડ પી ગયેલ મહિલા સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર રહેતી મહિલાએ એસીડ પી લેતા તેણીને સારવારમાં ખસેડવામાં આવી હતી અને પોલીસે કરેલી તપાસમાં ખુલ્યુ હતું કે બેન-બનેવી સાથે મિલ્કતની તકરાર ચાલતી હોય તે બાબતને લઈને માઠુ લાગી આવતા તેણીએ ઉપરોક્ત પગલું ભરી લીધું હતું.

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સોસાયટીમાં રહેતી અનિષાબેન ઉર્ફે કૌશરબેન અસલ્મભાઈ મકરાણી જાતે બ્લોચ નામની ૩૪ વર્ષીય મહિલાએ તેના ઘેર એસિડ પી લેતા તેણીને સારવાર માટે પ્રથમ અહીંની સિવિલ હોસ્પિટલે અને બાદમાં વધુ સારવાર માટે અત્રે ક્રિષ્ના હોસ્પિટલે ખસેડવામાં આવી હતી હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા પોલીસને જાણ કરાતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ ભોચીયા તથા રાઈટર કિશોરભાઈ મિયાત્રા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેમાં પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે અનિષાબેન ઉર્ફે કૌશરબેનને તેણીના બેન-બનેવી સાથે પાણીનો પ્લાન્ટ ચાલતો હતો અને તે બંધ થઈ ગયા બાદ તે મિલકત બાબતે બોલાચાલી થઈ હતી અને તે બાબતનું મનમાં લાગી આવતા તેણીએ એસિડ પી લીધું હતું અને જેથી કરીને તેણીને હાલ સારવારમાં ખસેડવામાં આવી હતી.જ્યારે મોરબી નજીકના શકત શનાળા ગામે રહેતા સોનલબેન કાંતિભાઈ સનારીયા નામની ૩૭ વર્ષીય મહિલા અજાણી માત્રામાં ફીનાઇલ પી ગઈ હતી જેથી ઉલ્ટીઓ થવા લાગતા તેણીને અત્રે આયુષ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવી હતી વધુમાં પોલીસ તરફથી જણાવવામાં આવ્યા મુજબ સોનલબેનનો લગ્નગાળો ૧૭ વર્ષનો છે અને તેને સંતાનમાં ત્રણ બાળકો છે અને વધુમાં પોલીસ તરફથી મળતી માહિતી મુજબ સોનલબેને ભૂલથી ફીનાઈલ પી લીધું હતું.

યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામે આવેલ પ્રેમજીનગર વિસ્તારમાં રહેતા મહેશ તુલસીભાઈ પરમાર નામના ૩૬ વર્ષના યુવાનને ચાલતા ચાલતા પડી જતા ઈજા થતાં તેને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને બનાવ સંદર્ભે તાલુકા પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી દ્વારા તપાસ કરવામાં આવતા ખુલ્યું હતું કે મહેશ પરમાર દારૂના નશામાં ચાલતો હતો ત્યારે તે ચાલતા ચાલતા પડી ગયો હતો અને તેથી તેને ઇજાઓ થતા સારવારમાં લઈ જવા આવ્યો હતો..!






Latest News