મોરબીમાં બહેનના પ્રસંગમાં હાજરી આપવા ગયેલ પત્નીને પતિએ માર માર્યો, પોલિસ તપાસ શરૂ
મોરબીની વિશ્વકર્મા સોસાયટીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ
SHARE
મોરબીની વિશ્વકર્મા સોસાયટીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ
ગત ૩૦/૧૦/૨૦૨૨ એટલે બ્લેક રવિવારે મોરબીના ઝૂલતા પુલે ૧૩૫ લોકોને કાળનો ભેટો થઈ ગયો હતો જેથી કરીને જે બન્યું એ તો ન બદલી શકાય પરંતુ એક માનવ ધર્મના નાતે ઝુલતાપૂલ દુર્ઘટનાની ચોથી માસિક પુણ્યતિથિ નિમિતે દિવંગત આત્માની શાંતિ અર્થે એવન્યુ પાર્કનું મારુતી સુંદરકાંડ મહિલા મંડળ અને વિશ્વકર્મા સોસાયટી ગોપી મંડળ આયોજીત ભજનનો કાર્યક્રમ રવાપર રોડ ઉપર વિશ્વકર્મા સોસાયટીમાં આવેલ મંદિરે રાખવામા આવ્યો હતો જેમાં ૩થી ૫ સુધી મોટી સંખ્યામાં બહેનો હાજર રહી હતી અને ધૂન ભજન કરી મૃતક આત્માઓને શ્રધાંજલિ અર્પણ કરેલ હતી અને આ રીતે આ બહેનો મૃતકોને એક વર્ષ પૂરું થાય ત્યાં સુધી દર માસિક પુણ્યતિથિએ શ્રધાંજલિ અર્પણ કરવાનું નક્કી કર્યું છે.









