મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ સ્કૂલ ખાતે આરસએસ દ્રારા કિશોરી પ્રશિક્ષણ અંતર્ગત લવ જેહાદ સહીતના વિષયોનું જ્ઞાન અપાયુ


SHARE















મોરબીની નીલકંઠ સ્કૂલ ખાતે આરસએસ દ્રારા કિશોરી પ્રશિક્ષણ અંતર્ગત લવ જેહાદ સહીતના વિષયોનું જ્ઞાન અપાયુ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ સ્કૂલ ખાતે આરએસએસનો કિશોરી પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો જેમાં શાળાની વિદ્યાર્થીનીઓને તાજેતરમાં બની રહેલ બાબતો અંગે સજાગ રહેવા માટે અને ભય સ્થાનો બતાવવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વક્તા તરીકે આરએસએસના સૌરાષ્ટ્ર પ્રાંત કુટુંબ પ્રબોધન સંયોજક, નિવૃત્ત આચાર્ય એગ્રીકલ્ચર યુનિવર્સિટી- જૂનાગઢ એવા કુમનભાઈ ખૂંટે માર્ગદર્શન આપ્યુ હતુ.

મોરબીની નીલકંઠ સ્કૂલમાં કિશોરી પ્રશિક્ષણ વિષયમાં કુમનભાઈ ખૂંટ દ્વારા ધો.૮,૯ અને ૧૧ ની વિદ્યાર્થીનીઓને સ્વસલામતી, લવજેહાદ, ગેરમાર્ગે જતી કેવી રીતે અટકવવી, કુટુંબ અને સમાજમાં કેવું વર્તન કરવું, જાતીય શોષણ સામે કેવી રીતે અવાજ ઉઠાવવો વિગેરે બાબતોથી માહિતગાર કરવામાં આવી હતી.આ તકે ઉપસ્થિત અન્ય મહેમાનોમાં ભીમજીભાઈ અઘારા (આરએસએસ,મોરબી જિલ્લા કુટુંબ પ્રબોધન), જયસુખભાઇ પરમાર (સમાજ સેવક, આરએસએસ અગ્રણી), મગનભાઈ રાઠોડ (આરએસએસ અગ્રણી) વિગેરેનો નીલકંઠ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી જીતુભાઈ વડસોલા અને નવનીતભાઈ કાસુન્દ્રા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ઉકાળા વિતરણ

મોરબીના ત્રિલોકધામ મંદિર ખાતે તાજેતરની મિશ્રઋતુને લઈને ઉકાળા વિતરણનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સર્વે નગરજનોને જણાવવા આવેલ છે કે, બે ઋતુના મિશ્રણ સમયે આરોગ્યમાં શરદી-ઉધરસ, ગળામાં તકલીફ વિગેરે રહેતુ હોય તે દુખાવામાં રાહત માટે તા.૧-૩ થી તા.૫-૩ સવારે ૯ થી ૧૦ અહીંના ત્રિલોક ધામ મંદિર, કુબેરનગર ,નવલખી રોડ મોરબી-૧ ખાતે ઉકાળા વિતરણની વ્યવસ્થા કરવામાં આવેલ છે.જેનો લાભ લેવા સર્વેને અપીલ કરવામાં આવે છે.






Latest News